આ સમાચાર રેલવેના મુસાફરો માટે ખૂબ કામના છે. જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો અને ઑનલાઈન ટ્રેન ટિકિટ લો છો આ સમાચાર એક વખત ફરજીયાત વાંચી લો. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ઑનલાઈન ટિકિટ બુકિંગના નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે.
તમે ઑનલાઈન ટ્રેન ટિકિટ લો છો તો એક ખાસ વાંચી લો
ભારતીય રેલવેએ ઑનલાઈન ટિકિટ બુકિંગના નિયમોમાં કર્યા ફેરફાર
રેલવેના મુસાફરોએ હવે મોબાઈલ અને ઈ-મેલ વેરિફિકેશન કરાવવુ પડશે
રેલવેનો નવો નિયમ
રેલવેના મુસાફરોને હવે મોબાઈલ અને ઈ-મેલ વેરિફિકેશન કરાવવુ પડશે. ત્યારબાદ તમને ટિકિટ મળશે. કોરોના સંક્રમણને કારણે છેલ્લાં લાંબા સમયથી ટિકિટ બુકિંગ નહીં કરાવનારા મુસાફરો માટે રેલવેએ નવા નિયમ બનાવ્યાં છે. આવા લોકોને આઈઆરસીટીસી પોર્ટલ પરથી ટિકિટ ખરીદવા માટે પહેલા પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેલ વેરિફાઈ કરાવવુ પડશે. ત્યારબાદ જ તમને ટિકિટ મળશે. જો કે, જે મુસાફરોએ નિયમિત ટિકિટ બુક કરાવી છે તેને આ પ્રક્રિયામાંથી પસાર નહીં થવુ પડે.
જાણો કેમ બનાવવામાં આવ્યાં નિયમ
કોરોનાનો કહેર ઘટતા ટ્રેનોએ પાટા પર દોડવાનુ શરૂ કરી દીધુ છે. એવામાં ટિકિટોનું વેચાણ પણ વધી ગયુ છે. આઈઆરસીટીસીના દિલ્હીની હેડ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેર અને તેની પહેલા જે ખાતા પોર્ટલ પર નિષ્ક્રિય હતા. તેને નક્કી કરવા માટે મોબાઈલ નંબર અને ઈમેલ વેરિફાઈની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
જાણો કેવીરીતે કરશો વેરિફિકેશન
જ્યારે તમે આઈઆરસીટીસી પોર્ટલ પર લૉગ ઈન કરો છો, તો વેરિફિકેશન વિન્ડો ખુલે છે. તેના પર પહેલાથી જ રજીસ્ટર્ડ ઈ-મેલ અને મોબાઈલ નંબર નોંધો. હવે ડાબી બાજુએ એડિટિંગ અને જમણી બાજુએ વેરિફિકેશનનો વિકલ્પ છે. વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરતા તમારા નંબર એક ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) આવશે. ઓટીપી નાખ્યા બાદ તમારો મોબાઈલ નંબર વેરિફાઈ થઇ જાય છે. આ રીતે ઈ-મેલ માટે વેરિફિકેશન કરવુ પડશે. આ ઈ-મેલ પર મળેલ ઓટીપીના માધ્યમથી પ્રમાણિત થાય છે.