ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા વૈશ્વિક નેતાઓને એક પત્ર લખ્યો હતો, જેમાં કહ્યું છે કે અમેરિકી પ્રતિબંધોથી COVID-19 સામે લડવાના પ્રયત્નોને અસર થઈ છે. રાષ્ટ્રપતિ હસન રુહાનીએ તેમના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોનો વાયરસ સામે લડવા સંયુક્ત આંતરરાષ્ટ્રીય પગલાં લેવાની જરૂર છે. તેમણે આ રોગચાળાને પહોંચી વળવા નક્કર વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો.
કોરોના મામલે નક્કર પગલા લેવાની વ્યૂહરચના પર મુક્યો ભાર
અમેરિકા પર કર્યા પ્રહાર
રુહાનીએ તેમના પત્રમાં લખ્યું છે કે, વાયરસ કોઇ સરહદ નથી ઓળખતો અને રાજકીય, ધાર્મિક, જાતિગત, અને વંશીય અવધારણાઓથી ઉપર ઉઠીને લોકોનો જીવ લે છે.
ઇરાની વિદેશમંત્રી જવાદ ઝરીફે કર્યું ટ્વીટ
આ મામલે ઇરાની વિદેશમંત્રી જવાદ ઝરીફે એક ટ્વીટમાં લખ્યું, જ્યારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસની મહામારીથી હડકંપ મચ્યો છે, આ સમયગાળામાં પ્રતિબંધ લાદવો યોગ્ય બાબત નથી. તેમણે વધુમાં લખ્યું કે, રાષ્ટ્રપતિ રૂહાનીએ દુનિયાના પોતાના સમકક્ષને પત્ર લખીને અમેરિકા પ્રતિબંધો વૈશ્વિક નેતાઓનું ધ્યાન ખેંચ્યું છે.
અમેરિકા પર કર્યા પ્રહાર
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાની રાષ્ટ્રપતિએ વિશ્વ નેતાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમના દેશને બે વર્ષના વ્યાપક અને ગેરકાયદેસર પ્રતિબંધો દ્વારા બનાવવામાં આવેલા ભારે અવરોધો અને પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે. આમ હોવા છતાં, યુ.એસમાં કોરોનો વાયરસ ફાટી નીકળ્યા પછી પણ ઈરાન પર દબાણ કરી રહ્યું છે. યુએસના વિદેશ સચિવે "નિર્લજ્જતાપૂર્વક" દેશોને વિનંતી કરી કે તે સમયે જ તેહરાનને માનવતાવાદી સહાય મોકલવામાં આવે જ્યારે જ વોશિંગ્ટનની "નાસમજ અને અમાનવીય" માંગણીઓ પૂર્ણ થાય.
ઇરાન બન્યું કોરોના વાયરસનું કેન્દ્રબિંદુ
સંયુક્ત રાષ્ટ્રમાં ઇરાનના દૂત દ્વારા પણ પ્રતિબંધ હટાવવા માટે અમેરિકાને ફોન કર્યો અને કોરોના વાયરસ પ્રયાસોને આગળ વધારવા માટે આ મામલે રાજનીતિથી દૂર રહેવાનો આગ્રહ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, પશ્ચિમ એશિયામાં ઇરાન કોરોના વાયરસનું કેન્દ્રબિંદુ બન્યું છે. જ્યાં 12,700 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે તો કેટલાય લોકોના મોત નિપજ્યા છે જેમાં સરકારના પણ કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે.