ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17મી નવેમ્બર થી યોજાનારી ટી-20 સિરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના હર્ષલ પટેલનો પણ સમાવેશ કરાયો છે
હર્ષલ પટેલ ન્યુઝીલેન્ડમાં થનારી ટી-20 મેચમાં રમશે
IPLમાં RCBના હર્ષલ પટેલે પર્પલ કેપ કબજે કરી હતી
2010માં અંડર-19 વર્લ્ડ કપ માટે પસંદગી થઈ હતી
હર્ષલ પટેલ ન્યુઝીલેન્ડમાં થનારી ટી-20 મેચમાં રમશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17મી નવેમ્બરથી 3 ટી-20 સિરીઝ રમશે. આ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ટી-20 સિરીઝ માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ભારતીય ટી-20ટીમની કેપ્ટન્સી છોડનાર વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં 3 ખેલાડીઓને IPL 2021માં બોલ અને બેટ સાથે તક આપવામાં આવી છે.જેમાં લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર આરસીબીના ઝડપી બોલર હર્ષલ પટેલ, દિલ્હી કેપિટલ્સના અવેશ ખાન અને કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનો સમાવેશ થાય છે.
કોણ છે આ ગુજ્જુ હર્ષલ પટેલ ?
હર્ષલ વિક્રમ પટેલનો જન્મ 23 નવેમ્બર 1990માં ગુજરાતના સાણંદમાં થયો છે. હર્ષલ પ્રથમ શ્રેણીનો ક્રિકેટર છે જે મુખ્યત્વે ઝડપી બોલિંગ કરે છે. જમણા હાથના ઝડપી બોલર, હર્ષલ પટેલે 2008-09ની અંડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં 11ની પ્રભાવશાળી સરેરાશથી 23 વિકેટ લીધી હતી. બાદમાં તેણે ગુજરાત માટે 2009-10માં તેની ODI ડેબ્યૂ કરી હતી.તે 2012 થી 2017 દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં રમી રહ્યો હતો પરંતુ 2018 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
IPLમાં RCBના હર્ષલ પટેલે પર્પલ કેપ કબજે કરી હતી
IPLમાં આ વખતે RCBના હર્ષલ પટેલે પર્પલ કેપ કબજે કરી હતી. આ રેસમાં પટેલ સાથે હરીફાઈ કરનાર કોઈ નહોતું. તે શરૂઆતથી અંત સુધી યાદીમાં ટોચ પર રહ્યો. પટેલ હાલમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે. ગુજરાતના આ ખેલાડીનું અમેરિકા અને હરિયાણા સાથે પણ ખાસ જોડાણ છે.IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બ્રાવો સાથે હર્ષલ હવે સંયુક્ત નંબર વન પર પહોંચી ગયો છે. બ્રાવોએ વર્ષ 2013માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા 32 વિકેટ ઝડપી હતી. પટેલે આરસીબી તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ લીધી હતી. આ સિઝનમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે હેટ્રિક પણ લીધી હતી.
2010માં અંડર-19 વર્લ્ડ કપ માટે પસંદગી થઈ હતી
અગાઉ, હર્ષલે 2008-09ની વિનુ માંકડ ટ્રોફી સીઝન દરમિયાન 11ની એવરેજથી 23 વિકેટ ઝડપી હતી. જોકે, રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં સ્થાન ન મળતાં હર્ષલ પટેલ હરિયાણાની ક્રિકેટ ટીમ સાથે જોડાયો હતો અને હાલમાં તે ટીમનો કેપ્ટન છે. હર્ષલ પટેલે 2011-12ની રણજી ટ્રોફી સિઝનમાં 28 વિકેટ લીધી હતી. તેને 2010ના અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો.