39000ની કેપિસિટી ધરાવતા આ સ્ટેડિયમની ટિકિટ આટલી જલ્દી વેચાતા ફેન્સ નારાજ છે, આ બાબત ફેન્સમાં IPLની લોકપ્રિયતા તો દેખાડે છે પરંતુ સાથે જ તેની પારદર્શકતા અને મેનેજમેન્ટ પણ સવાલ ઉભા કરે છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટિકિટોનું વેચાણ ખોલ્યુ. તે કોઇ પણ નોટિસ વગર, પણ દંગ કરી દેનારી વાત એ છે કે માત્ર 2 મિનિટમાં વેચાઇ ગઇ.
આ અંગે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ની સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યે સવાલ ઉઠાવતા કહ્યુ કે, ''ફાઈનલની તમામ ટિકિટો મિનિટોમાં કેવી રીતે વેચાઈ શકે?’ આ ખૂબ જ ચોંકાવનારી વાત છે અને BCCIને ફાઈનલ જોવાની ઈચ્છા ધરાવનારા પ્રશંશકોને જવાબ આપવો પડશે.'' રોચક વાત એ છે કે, જ્યાં સુધી ટિકિટો વિશે જાણવા મળત ત્યાં સુધી તમામ ટિકિટો વેચાઇ ચૂકી છે.
IPLની ફાઇનલ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 12 મેના રમાશે. ક્રિકેટ નિષ્ણાતો અનુસાર, આ મેચોની ટિકિટ 25000-30000ની આસપાસ વેચાય છે. પરંતુ એવું તો શું થયું કે તમામ ટિકિટ વેચાઇ ગઇ અને ખબર પણ ના પડી.
સૂત્રોનુસાર, 1000, 1500, 2000, 2500, 5000, 10000, 12500, 15000 અને 22500 રૂપિયાની ટિકિટ વેચવાની હતી. જોકે જે વેબસાઇટ પાસે વેચવાના રાઇડ્સ છે તેમાં 1500, 2000, 2500 અને 5000ની ટિકિટ્સ જ બાકી છે. અન્ય 12500, 15000 અને 22500ની ટિકિટનું શું થયું? આ વિશે કંઈ જાણવા મળ્યું નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યાં છે.
વેબસાઇટના અધિકારીએ જણાવ્યુ કે, ''હું કોઈપણ જાણકારી આપી શકું તેમ નથી. અમે તે ટિકિટોને વેચી જે અમને મળી હતી. આ વિશે BCCI આન્સરેબલ છે.'' જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે, જ્યારે બીજી ક્વૉલિફાયરની વિજેતા ટીમ ફાઈનલમાં રમનારી બીજી ટીમ હશે. બીજી ક્વૉલિફયાર ચેન્નાઇ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં આજે રમાશે.