વડોદરા સામુહિક દુષ્કર્મ અને કથિત આપઘાતનો મામલે 19 દિવસે હવે SITની રચના કરવામાં આવી છે. 6 સિનિયર અધિકારીઓના સુપરવીઝન હેઠળ હવે સમગ્ર કેસની ઉડી તપાસ થશે. કમિટીમાં રેલવે. ક્રાઈમ બ્રાન્ચ, તેમજ પોલીસના મોટા અધિકારીઑનો સમાવેશ કરવામાં આવ્યો છે.
SITમાં કોણ કોણ?
નામ
પોસ્ટ
વિભાગ
પરીક્ષિતા રાઠોડ
SP
વડોદરા રેલવે
જયદીપસિંહ જાડેજા
DCP
ક્રાઇમ
બી.એસ.જાધવ,
DySP
રેલવે
એ.બી.જાડેજા
PI રેલવે
વડોદરા
કે.એમ ચૌધરી
PI રેલવે
સુરત
જે.બી.વ્યાસ
PSI રેલવે
વલસાડ
મિકેનિકે કહ્યું સાયકલ યુવતીની નથી
રેલવે પોલીસ પીળા કલરની સાઈકલ જે ઘટનાસ્થળ નજીકથી મળી હતી તેની તપાસ પણ કરી રહી છે. અગાઉ મિકેનિક પાસે યુવતી પંચર કરાવવા પહોંચી હતી જે બાદ સાયકલ પણ કેસમાં મહત્વની કડી બની ગઈ હતી પણ પોલસને મળેલી સાયકલ અંગે મિકેનિક પાસે પણ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે પોલીસને મળેલી સાયકલ યુવતીની નહીં
હર્ષ સંઘવીએ કહ્યું થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠશે
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મમાં પોલીસ હાલ તો ગોથા ખાઈ રહી તેવુ લાગી રહ્યું છે તેવા સમગ્ર કેસ મુદ્દે હર્ષ સંઘવી દ્વારા ફરી નિવેદન આપવામાં આવ્યું હતું કે યુવતીને ન્યાય અપાવીને રહીશું. થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠી જશે. આરોપીને પકડી જનતા સમક્ષ લાવવામાં આવશે. પીડિતાની માતા વારંવાર ગૃહરાજ્યમંત્રી સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી રહી છે. આ પહેલા પણ પીડિતા યુવતીના ભાઈ તરીકે ન્યાય અપાવીશ એવું હર્ષ સંઘવી કહી ચૂક્યા છે. રેલવે પોલીસ આપઘાત કેસને પોતાની રીતે ખોળી રહી છે જ્યારે વડોદરા પોલીસ દુષ્કર્મના કેસની તપાસમાં જોતરાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહાયક ભૂમિકામાં માર્ગદર્શન આપી રહી છે પણ હજુ સુધી કેસ ગોળ ગોળ ફરી રહ્યો છે.
કેસ પોલીસ 'અંધારા ઉલેચે' છે?
વડોદરામા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિટના કેસમાં હવે ઓએસીસ સંસ્થાના કેટલાક લોકો પોલીસ રડારમાં આવ્યા છે. શું આ ઘટના અંગે સંસ્થાના કેટલાક લોકોને જાણ હતી ? પોલીસે સંસ્થાના કેટલાક કર્મચારીઓના મોબાઈલ અને તેની વિગતો ચકાસવા માટે 'ટ્રેસ'કરવા શરૂ કર્યા છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ યુવતીના કેસ અંગે પૂર્વ સરપંચ રહી ચૂકેલા ઇશ્વરસિંહ સિસોદિયાએ કહ્યું કે, ન્યાય મળવો જોઇએ.
શંકાસ્પદ ભૂમિકામાં વોચમેનની કોઈ ભાળ નથી
દુષ્કર્મ કેસમાં ઘટનાસ્થળ વેક્સિન ગ્રાઉન્ડના વોચમેનની શંકાસ્પદ ભૂમિકા? મહત્વનું છે કે યુવતીએ બસ ચાલકની મદદ માંગી એ સમયે વોચમેનનો પણ ઉલ્લેખ હતો. સાયકલ ગૂમ થવામાં વોચમેનનો રોલ છે કે નહીં તે દિશામાં તપાસમાં ચાલી રહી છે પણ શંકાશીલ વોચમેન હજુ પણ ગાયબ છે. પોલીસે 19 સોસાયટીઓના વોચમેનની માહિતી મેળવી છે પણ કોઈ ભાળ લાગી નથી.
હત્યા કે આત્મહત્યા?
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી તે વાત હવે કોરા કાગળની જેમ સાફ છે. કારણ કે, એક દીકરીનું ખુલ્લેઆમ અપહરણ થઈ જાય છે. તેની સાથે ગેંગરેપ થાય છે. અને ટ્રેનના ડબ્બામાં ગળેફાંસો ખાઈને લટકેલી હાલતમાં મળી આવે છે. પુરાવાઓ આત્મહત્યા નહીં હત્યાની દીશામાં ઈશારો કરી રહ્યા છે. જ્યારે પોલીસ આત્મહત્યાની દીશામાં તપાસ કરી રહી છે તે પણ મોટો સવાલ છે.
OASIS સંસ્થાના 5 લોકોના મોબાઇલ કરાયા જપ્ત: DySP
વડોદરા વેસ્ટર્ન રેલવેના DySP બી.એસ.જાધવે તપાસ પર મોટા ખુલાસા કર્યા હતા. આપઘાત પહેલા યુવતીએ OASIS સંસ્થાનો કોન્ટેક્ટ પણ કર્યો હતો અને ડાયરીમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં OASIS સંસ્થાના 5 લોકોના મોબાઇલ ફોન જપ્ત કરાયા છે. યુવતીના સહ કર્મચારી શૈલેષ અગ્રવાલ,સંજીવ શાહ,પ્રીતિ નાયર,વૈષ્ણવી અને અવધિના ફોન મેળવી તેણે FSLમાં મોકલવામાં આવ્યા છે. OASIS સંસ્થાકર્મી સામે હાલ તપાસ ચાલી રહી છે ગુનેગાર હશે તો કાર્યવાઈ થશે તેવી વાત પણ કરી હતી.OASIS મેનેજીંગ ટ્રસ્ટીના પતિ સંજીવને યુવતીના મેસેજ બાદ સંસ્થાએ ઘટનાને ગંભીરતાથી કેમ ન લીધી તે અંગે હાલ પૂછપરછ કરાઇ રહી છે. યુવતીના મૃત્યુ અગાઉ 2 ફોન થયા હતા.જેમાંથી યુવતીએ કોલ ઈમરાન નામના વ્યક્તિને કર્યો હતો.
યુવતીઓને હાથો બનાવીને સંજીવ શાહ ઉઘરાવતો ડોનેશન: નરેન્દ્ર રાવત, કોંગ્રેસ નેતા
સંજીવ શાહ મોટા પ્રમાણમાં યુવતીઓને સંસ્થામાં જોડતા હતા. તેમની કરતૂતો ખુલતા તેમને 1995 માં OASIS માટે યુનિ કેમ્પસ માં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. સંજીવ શાહ યુવતીઓને હાથો બનાવી ડોનેશન ઉઘરાવતો હતો. સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી. પોલીસ પાસે પૂરતી માહિતી છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. પોલીસ તપાસમાં નિષ્ફળ નીવડી હોવાની વાત પણ નરેન્દ્ર રાવતે જણાવી હતી.