જો તમે પણ 7થી 14 દિવસમાં સારી કમાણી કરવા માંગો છો તો દેશની સરકારી બેંક સહિત તમામ ખાનગી બેંકો તમને તક આપી રહી છે. ચાલો જાણીએ.
7થી 14 દિવસમાં સારી કમાણી કરવી હોય તો કરો આ કામ
દેશની સરકારી બેંક સહિત ખાનગી બેંકો તમને તક આપી રહી છે
તમે બેંકમાં 7થી 14 દિવસ સુધી એફડી કરીને ફાયદો મેળવી શકો છો
તમે બેંકમાં 7થી 14 દિવસ સુધી એફડી કરીને સારો ફાયદો મેળવી શકો છો. આ એફડી પર બધી બેંકો અલગ-અલગ વ્યાજદર આપી રહી છે. સ્ટેટ બેંકથી લઈને પીએનબી, આઈસીઆઈસીઆઈ અને એસચડીએફસી સહિત તમે કોઈપણ બેંકમાં એફડી કરાવી શકો છો. અમે તમને જણાવીશું કે 7 દિવસમાં કઈ બેંક કેટલું વ્યાજ આપે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
દેશની સૌથી મોટી સરકારી બેંક 7 દિવસની એફડી કરવા પર 2.90 ટકા વ્યાજ આપે છે. આ ઉપરાંત સીનિયર સિટીઝન્સને 3.40 ટકા વ્યાજ મળે છે.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડામાં 7 દિવસની એફડી પર 2.80 ટકા વ્યાજ મળે છે. જ્યારે સીનિયર સિટીઝન્સને 3.30 ટકા વ્યાજ મળે છે.
આઈસીઆઈસીઆઈ બેંક
ICICI બેંક પોતાના ગ્રાહકોને સાત દિવસથી 14 દિવસની એફડી પર 2.50 ટકા વ્યાજ આપે છે. આ ઉપરાંત સીનિયર સિટીઝન્સને 3.0 ટકા વ્યાજ ની સુવિધા મળી રહી છે.
એચડીએફસી બેંક
એચડીએફસી બેંકમાં સાત દિવસથી 14 દિવસની એફડી કરવા પર 2.50 ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત સીનિયર સિટીઝન્સને 3 ટકા વ્યાજની સુવિધા મળી રહી છે.
બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ ઇન્ડિયામાં સામાન્ય નાગરિકો માટે 7 દિવસની એફડી પર 3 ટકા વ્યાજ મળે છે. જ્યારે સીનિયર સિટીઝન્સને એફડી પર 3.50 ટકા વ્યાજ મળે છે.
પીએનબી અને પંજાબ એન્ડ સિંધ બેંક
પીએનબી અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં પણ સામાન્ય નાગરિકો માટે 3 ટકા વ્યાજ મળે છે. જ્યારે સિનીયર સિટીઝન્સ માટે બેંક 7 દિવસની એફડી પર 3.50 ટકા વ્યાજ આપે છે.
યૂનિયન બેંક
યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકોને સાત દિવસની એફડી કરાવવા પર 3 ટકા વ્યાજ મળે છે.
બંધન બેંક
બંધન બેંક પોતાના ગ્રાહકોને સાત દિવસની એફડી કરાવવા પર ત્રણ ટકા વ્યાજ આપે છે. જ્યારે સિનીયર સિટીઝન્સને 7 દિવસ માટે3.75 ટકા વ્યાજ મળે છે.
યસ બેંક
યસ બેંક પોતાના ગ્રાહકોને 7 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.25 ટકા વ્યાજની સુવિધા આપે છે. આ જ અવધિ માટે વરિષ્ઠ નાગરિકોને 3.75 ટકા વ્યાજ મળે છે.
ડીસીબી બેંક
ડીસીબી બેંક 7 દિવસની એફડી પર 4.55 ટકા વ્યાજ આપે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને બેંક આ જ અવધિ માટે 5.05 ટકા વ્યાજ આપે છે.
ઈન્ડિયન ઓવરસીઝ બેંક
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 7દિવસની એફડી પર 3.40 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. સિનીયર સિટીઝન્સ માટે બેંક 3.90 ટકા વ્યાજની સુવિધા આપે છે.