આતંકવાદ મુદ્દે ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાન પર હવે આંતરરાષ્ટ્રીય દબાણ ઉભુ થયુ છે. જે બાદ હવે પાકિસ્તાન પોતાના દેશમાં સક્રિય મદરેસાઓને સરકારી હસ્તક લેવા કાર્યવાહી કરવા માટે મજબૂર બન્યુ છે. જોઇએ સમગ્ર અહેવાલ.
ઈમરાન ખાનના શાસનકાળમાં પાકિસ્તાનમાં 30 હજારથી પણ વધુ મદરેસાઓ સક્રિય હોવાનો ખુલાસો ખુદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે કર્યો છે. આ મદરેસાઓમાં ધાર્મિક ભણતર સિવાય મુખ્યધારાઓના વિષયો પણ ભણાવવામાં આવી રહ્યા છે.
આતંક મુદ્દે ઘેરાયેલા પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ, પાકિસ્તાન મદરેસાઓ પર કાર્યવાહી કરવા મજબૂર, પાકિસ્તાનમાં 30,000થી પણ વધુ મદરેસાઓ સક્રિય pic.twitter.com/5T1yYJmSUx
પાકિસ્તાનમાં મદરેસાઓમાં આતંકની ફેક્ટરીઓ ચાલી રહી હોવાની કબૂલાત ખુદ પાકિસ્તાને પણ કરી છે. તો પાકિસ્તાન આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે પણ માન્યુ કે મદેરસા આતંકવાદ ફેલાવવામાં સામેલ છે. પાકિસ્તાનમાં 1947માં 247 મદરેસા હતા. જે વધીને 1980માં 2 હજાર 861 થઈ ગયા.
મદરેસાઓની સંખ્યા હાલ 30 હજારથી પણ વધુ છે. મદરેસાઓ પર કાબૂ મેળવવા માટે યોગ્ય પગલા લેવામાં આવશે. તમામ મદરેસાઓને શિક્ષણ મંત્રાલય હેઠળ લેવામાં આવશે. મદરેસાઓ માટે એવા પાઠ્યપુસ્તકો બનાવાશે કે તેમાં કોઈ ભડકાઉ ભાષણ નહીં હોય અને વિદ્યાર્થીઓને પણ તમામ ધર્મોનું સમ્માન આપવાની તાલીમ આપવામાં આવશે.