DGCAએ બુધવારે કહ્યું કે કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય વિમાનની સેવાઓ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધારી દીધો છે. ભારતીય વિમાન નિયામકે એક પરિપત્રમાં કહ્યું છે કે ‘મામલા દર મામલા’ના આધાર પર સક્ષમ પ્રધિકારી દ્વારા પસંદી પામેલા માર્ગો પર આંતરરાષ્ટ્રીય નક્કી કરેલી ફ્લાઈટને પરવાનગી આપી શકાય છે.
72 કલાક પહેલા નેગેટિવ આવ્યો હોય તે જ પ્રવાસ કરી શકે
ડોમેસ્ટિક વિમાન સેવા 25 મેથી ફરી શરુ થઈ
આંતરરાષ્ટ્રીય વિમાનની સેવાઓ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધારી દેવાયો
કોરોનાને ધ્યાનમાં રાખીને 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે મેથી વંદે ભારત મિશન અંતર્ગત અને જુલાઈથી દ્વીપક્ષીય એર બબલ વ્યવસ્થા હેઠળ કેટલીક વિશેષ ફ્લાઈટ સેવા શરુ કરવામાં આવી હતી.
બે દેશોની વચ્ચે એક બબલ સમજૂતી હેઠળ સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તે સેક્ટરની વચ્ચે તે દેશોની વિમાન કંપનીઓ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. ભારતે લગભગ 18 દેશોની વચ્ચે એર બબલ સમજૂતી કરી છે. દેશમાં ડોમેસ્ટિક વિમાન સેવા લગભગ 2 મહિના સુધી બંધ રહ્યા બાદ 25 મેથી ફરી શરુ થઈ છે.
આ દરમિયાન વિમાનમાં કોરોનોગ્રસ્ત પ્રવાસી મળતા હોંગકોંગે ચોથી વાર એર ઈન્ડિયા ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો છે. હોંગકોંગ સરકાર તરફથી જારી નિયમ મુજબ જે પ્રવાસીનો રિપોર્ટ 72 કલાક પહેલા નેગેટિવ આવ્યો હોય તે જ પ્રવાસ કરી શકે છે.