તજજ્ઞોનું એવું માનવું છે કે ફુગાવોનું દબાણ ઓછું થવાને ધ્યાને રાખતા રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી) આ સપ્તાહે પોતાનાં નીતિ વલણને બદલીને 'તટસ્થ' કરી શકે છે. જો કે રાજકોષીય મોર્ચા પર પડકાર તથા કાચા તેલની કિંમતોનાં વધવાથી સમિતિને માટે નીતિગત વ્યાજ દર ઘટાડવો અત્યારે સંભવ નથી લાગતો. રિઝર્વ બેંકની દ્વિમાસિક સમીક્ષા બેઠક મુંબઇમાં પાંચથી સાત ફેબ્રુઆરી સુધી હશે. નવા RBI ગવર્નર શક્તિકાંત દાસનાં કાર્યકાળની આ પ્રથમ બેઠક છે. દાસે 12 ડિસેમ્બરનાં રોજ RBIની કમાન સંભાળી.
બેંક ઓફ બરોડાનાં મુખ્ય અર્થશાસ્ત્રી સમીર નારંગે કહ્યું કે મૌદ્રિક નીતિ સમિતિ આગામી સાત ફેબ્રુઆરીનાં રોજ પોતાનાં નીતિગત વલણને 'માપીને કઠોર' બનાવવાની જગ્યાએ "તટસ્થ" કરી શકે છે. ઓક્ટોમ્બર-ડિસેમ્બર ક્વાર્ટર દરમ્યાન છૂટક ફુગાવો રિઝર્વ બેંકનાં 3.8 ટકાનાં અનુમાનથી ઓછી 2.6 ટકા રહી.
નારંગે કહ્યું ફુગાવામાં ઉલ્લેખનીય ઉણપ તથા વૈશ્વિક વૃદ્ધિ ડુલ થઇ જવાથી 2018-19માં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો ચાર ટકાને દાયરામાં રહેવાવાળી છે. આનાંથી રિઝર્વ બેંકનાં નીતિ વલણને બદલવાનો મોકો મળશે.
જો કે સ્વાસ્થ્ય શિક્ષા તથા ઘરેલૂ અને ખાનગી સામાન જેવાં મુખ્ય કારકોનાં ઉચ્ચ સ્તરથી દરોમાં બદલવાની સુવિધા સીમિત છે." મૈગ્મા ફિનકોર્પનાં ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક સંજય ચમડિયાનું માનવું એમ છે કે નાણાંમંત્રી પીયૂષ ગોયલે બજેટ ભાષણમાં રિઝર્વ બેંક દ્વારા દરોમાં કપાતની ભૂમિકા તૈયાર કરી છે.
કેન્દ્રીય નાણાંમંત્રી પીયૂષ ગોયલ નવ ફેબ્રુઆરીનાં રોજ રિઝર્વ બેંકનાં કેન્દ્રીય બોર્ડની બેઠકને સંબોધિત કરશે. આ દરમ્યાન તે અંતરિમ બજેટનાં મુખ્ય બિંદુઓને રેખાંકિત કરશે. છઠ્ઠી મૌદ્રિક નીતિ સમીક્ષાનાં બે દિવસ બાદ આ બેઠક થવાની છે. સૂત્રો અનુસાર નવ ફેબ્રુઆરીની બોર્ડની બેઠકમાં વર્તમાન નાણાંકીય વર્ષને માટે અંતરિમ લાભાંશનાં સરકારનાં અનુરોધ પર વિચાર પણ કરવામાં આવશે.