શાકાહારી હોવાને કારણે તેનો મેડિક્લેઈમ નકારી શકાય? ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે આવું જ કર્યું. કંપનીની દલીલ એવી હતી કે તે માણસ બીમાર પડ્યો હતો કારણ કે તે શાકાહારી હતો.
2015માં સારવાર કર્યા બાદ ઈન્સ્યોરન્સ કંપની કર્યું આવું
વ્યક્તિ શાકાહારી હોવાથી મેડીકલેઇમ રીજેક્ટ કર્યો
વિટામિન B12ની ઉણપને કારણ બતાવવામાં આવ્યું
જો તમે શાકાહારી છો, તો તમારા માટે આ એક ઉપયોગી સમાચાર છે. શું કોઈ વ્યક્તિ શાકાહારી હોવાને કારણે તેનો મેડિક્લેઈમ નકારી શકાય? ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે આવું જ કર્યું. કંપનીની દલીલ એવી હતી કે તે માણસ બીમાર પડ્યો હતો કારણ કે તે શાકાહારી હતો, તેથી તેનો મેડિક્લેમ સ્વીકારી શકાય નહીં. પરંતુ જિલ્લા ગ્રાહક આયોગે કંપનીની અરજી ફગાવી દીધી હતી અને વ્યાજ સહિત મેડિક્લેમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કમિશને કહ્યું કે શાકાહારી હોવું એ ગુનો નથી અને કંપનીએ તેના મેડિક્લેમના દાવાને નકારી કાઢવા માટે ખોટો તર્ક આપ્યો છે.
મેડીકલ બિલ 1 લાખ કંપનીએ નકાર્યું
મીત ઠક્કરની ઓક્ટોબર 2015માં એક અઠવાડિયા સુધી સારવાર કરવામાં આવી હતી. તેને ચક્કર આવી રહ્યા હતા, ઉબકા આવી રહ્યા હતા, તે શરીરના ભાગમાં નબળાઈ અને ભારેપણું અનુભવી રહ્યા હતા. તેને ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક (ITA)ની ફરિયાદ હતી. તેનું હોમોસિસ્ટીન લેવલ 23.52 હોવાનું જાણવા મળ્યું હતું, જે સામાન્ય રીતે પાંચથી 15ની વચ્ચે રહે છે. તેનું મેડિકલ બિલ એક લાખ રૂપિયા સુધીનું હતું. પરંતુ વીમા કંપની ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે તેનો મેડિક્લેમ ફગાવી દીધો હતો. કંપનીએ ડૉક્ટરના રિપોર્ટને ટાંક્યો જેમાં કહેવામાં આવ્યું છે કે ઠક્કરની સમસ્યા વિટામિન B12ની ઉણપને કારણે થઈ હતી. શાકાહારી હોવાને કારણે ઠક્કરના શરીરમાં B12ની ઉણપ હતી.
કમિશને શું જવાબ આપ્યો
ઠક્કરે વીમા કંપની વિરુદ્ધ અમદાવાદ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ પંચને ફરિયાદ કરી હતી. સુનાવણી પછી, પંચે કહ્યું કે શાકાહારી લોકોમાં વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે પરંતુ ઠક્કરના કેસમાં એવું કહી શકાય નહીં કે તેને આ કારણે તકલીફ થઈ છે અથવા તેની ભૂલ હતી. ડૉક્ટરે કહ્યું કે શાકાહારીઓને ઘણીવાર B12 ની ઉણપ હોય છે, પરંતુ વીમા કંપનીએ તેનું ખોટું અર્થઘટન કર્યું અને મેડિક્લેમ નકારી કાઢ્યો.
કુલ રકમ સાથે 9 ટકા વ્યાજ આપવા પડશે
કમિશને કંપનીને ઠક્કરને રૂ. એક લાખની રકમ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે ઠક્કરે ફરિયાદ દાખલ કરી ત્યારે ઓક્ટોબર 2016થી વ્યાજ લાગુ થશે. કંપનીએ ઠક્કરને 5000 રૂપિયા પણ ચૂકવવા પડશે. કમિશને કહ્યું કે કંપનીએ ઠક્કરને થયેલી માનસિક યાતના અને કાયદાકીય ખર્ચ માટે આ રકમ ચૂકવવી પડશે.