ક્રિકેટ ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી ટીમ ઇન્ડિયાને જીત અપાવનાર શિખર ધવન ઇજાગ્રસ્ત થવાને કારણે ત્રણ સપ્તાહ માટે બહાર થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાને શિખર ધવનથી ઘણી અપેક્ષાઓ હતી. 'ગબ્બર' નામથી પ્રખ્યાત ધવનને ડાબા હાથમાં અંગુઠામાં ફ્રેક્ચર થયું છે.
જેના કારણે ધવનને ટીમમાંથી બહાર કરાયો છે. ધવન હવે ત્રણ સપ્તાહ સુધી કોઇ મેચ રમી નહીં શકે. એટલે કે 13 જૂને ન્યુઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન સામે યોજાનારી મોટી મેચો પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે.
તમે લોકો એવું તો જાણો છો કે શિખર ધવન ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ મેચમાં બેટિંગ કરતાં ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ બાદ બીજી ઇનિંન્ગમાં એને બિલકુલ ફિલ્ડીંગ પણ કરી નથી. કારણ એ છે કે ધવનને થયેલી ઇજા કેટલી ગંભીર અને કેવી સ્થિતિ છે એ સ્પષ્ટ નથી. એટલા માટે ટીમ મેનેજમેન્ટ એની ઇજાને લઇને ચિંતામાં છે અને એની ઇજાને કારણે આ નિર્ણય લીધો છે.
રવિવારે ઓસ્ટ્રેલિયાઇની વિરુદ્ધ વર્લ્ડકપ મેચમાં ભારતની જીતના હીરો ધવનને ફાસ્ટ બોલર નાથનુ કોલ્ટર નાઇલનો બોલ વાગ્યો હતો પરંતુ દુખાવો થવા છતાં એ રમી રહ્યો હતો. ખૂબ જ દુખાવો થવા છતાં ધવને 109 બોલમાં 117 રનની ઇનિંગ રમી. જાણવા મળ્યું છે કે ધવનના સ્કેન બાદ ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ ગુરુવારે ટ્રેન્ટબ્રિજમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવા પર નિર્ણય કરશે.
શિખર ધવને ICC ટૂર્નામેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ધવને 2015ના વર્લ્ડ કપમાં 51.50ની સરેરાશથી 412 રન બનાવ્યા હતા. જેમા બે સદી પણ સામેલ છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013-2017) માં પણ ધવને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. શિખર ધવને 77.88ની સરેરાશથી ત્રણ સદી નોંધાવતા 701 રન બનાવ્યા હતા.