બીસીસીઆઈએ વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી દીધી છે.
વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત
રોહિત અને વિરાટને આરામ અપાયો
શિખર ધવન બન્યો કેપ્ટન
ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસ માટે શિખર ધવનને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન બન્યો છે. ઈંગ્લેન્ડમાં રમાનારી ટી-20 અને વન ડે શ્રેણી બાદ ભારતને વિન્ડિઝના પ્રવાસે જવું પડશે, જ્યાં ત્રણ વન ડે રમાવાની છે.
India’s squad for three-match ODI series against West Indies announced. Shikhar Dhawan (Captain), Ruturaj Gaikwad, Shubman Gill, Deepak Hooda, Suryakumar Yadav, Shreyas Iyer, Ishan Kishan (wk), Sanju Samson (wk), Ravindra Jadeja (vice-captain) (1/2)
સિનિયર ખેલાડીઓને અપાયો આરામ
બીસીસીઆઈ દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ફક્ત વનડે ટીમની જાહેરાત કરાઈ, ટેસ્ટની બાદમાં કરાશે જાહેરાત
આ ટીમની જાહેરાત માત્ર વન ડે શ્રેણી માટે જ કરવામાં આવી છે, જ્યારે ટી-20 શ્રેણી માટેની જાહેરાત બાદમાં કરવામાં આવશે. પાંચ મેચની ટી-20 શ્રેણી માટેના સિનિયર ખેલાડીઓ પુનરાગમન કરી શકે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણ કે ટી-20 વર્લ્ડકપની તૈયારી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ શ્રેણી છે.