દિલ્હીમાં યલો એલર્ટ જાહેર, મહારાષ્ટ્રમાં પણ લાગી શકે પ્રતિબંધો
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર કટ્ટુમન અને તેમની રિસર્ચ ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં એવું જણાવ્યું છે કે ભારતમાં સંક્રમણમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. 6 રાજ્યોમાં કેસોમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. આગામી દિવસમાં કેસોમાં જરુરથી વધારો થશે. લગભગ એક અઠવાડિયામાં શરુ થઈ જશે ત્રીજી લહેર, ભારત આ અંગે સાવધ રહેવાની જરુર છે.
ઓમિક્રોન ભલે ઘાતક ન પણ ઈન્ફ્રાસ્ટ્રકચરની કમર તોડી નાખશે-નારાયણ હેલ્થના ચેરમેન
નારાયણ હેલ્થના ચેરમેન અને કાર્ડિયેક સર્જન દેવી શેટ્ટીએ કહ્યું કે ઓમિક્રોન ભલે ઘાતક ન લાગતો હોય પરંતુ અત્યાર સુધીનો અનુભવ દેખાડે છે તે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરની કમર તોડી શકે છે. કોરોના વાયરસ ઈતિહાસમાં સૌથી ઝડપી ગતિએ ફેલાનાર વાયરસ છે. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, નેધરલેન્ડ, ડેનમાર્કમાં હાલત બેકાબુ બની રહી છે.
દેશમાં આજે કોરોના કેસમાં થયો 44 ટકાનો વધારો
દેશમાં Omicron ના કારણે દહેશતનો માહોલ છે. કોરોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે અને એવા સમયે આજે કેસ સંખ્યામાં 44% વધારો થઈ ગયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,195 કોરોનાનાં નવા કેસ આવ્યા હતા. જે ગઇકાલની સંખ્યા કરતાં 44.6 ટકા વધારે છે. વેકસીનેશન અભિયાન અંતર્ગત આજ સુધીમાં 143.15 કરોડ લોકો વેક્સિનના ડોઝ લઈ ચૂક્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 77,002 છે અને રિકવરી રેટ 98.40 % છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,347 દર્દીઓ રિકવર થયા હતા. જેની સંખ્યા વધીને 3,42,51,292 થઈ ગઈ છે. અમે છેલ્લા 24 કલાકમાં 302 દરીઓના મોત થયા હતા. જે સંખ્યા વધીને હવે 4,80,592 થઈ ગઈ છે.