પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા લગભગ 16000 ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક બોલાવી.
યુક્રેનમાં ભારતનું 'મિશન એરલિફ્ટ
16000 ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયેલા
4000 ભારતીય નાગરિકો યુક્રેનથી પરત લવાયા
પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા લગભગ 16000 ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાગરિકોના સ્થળાંતર અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા થઈને ભારતીયોને રોડ માર્ગે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
હજારો ભારતીયો ફસાયા છે યુક્રેનમાં
યુક્રેનમાં રશિયાના હુમલા બાદ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે. આવી સ્થિતિમાં, ભારતે ગુરુવારે યુક્રેનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે એક મોટી રાજદ્વારી પહેલ કરી છે. યુક્રેનમાં રશિયન હુમલાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ચિંતાથી વાકેફ કર્યા હતા. સાથે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ભારત તેના નાગરિકોના સુરક્ષિત બહાર નીકળવા અને પરત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
આ પહેલા પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા લગભગ 16000 ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાગરિકોના સ્થળાંતર અને યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. વાસ્તવમાં, રશિયાના હુમલા બાદ યુક્રેને તેની હવાઈ સરહદો બંધ કરી દીધી છે. આવી સ્થિતિમાં ભારત હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયા થઈને ભારતીયોને રોડ માર્ગે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
Team from Embassy of India in Hungary has been despatched to the border post Zohanyi to coordinate and provide assistance to facilitate exit of Indians from Ukraine. Mission is working with with Govt of Hungary to provide all possible assistance. @IndiainUkraine@MEAIndia contd.
યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા પ્રયત્નશીલ- વિદેશ સચિવ
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મીડિયાને કહ્યું, "વડાપ્રધાને CCS મીટિંગમાં કહ્યું કે સરકારની ટોચની પ્રાથમિકતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષા અને યુક્રેનમાંથી તેમને બહાર કાઢવાની છે." "હું યુક્રેનિયન વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો સહિત તમામ ભારતીય નાગરિકોને ખાતરી આપવા માંગુ છું કે અમે તમને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું,"
4000 ભારતીયો ભારત પરત ફર્યા
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યુ કે યુક્રેનમાં 20 હજાર ભારતીય નાગરિકો ફસાયા હતા જેમાંથી 4 હજાર લોકોને પરત લાવવામાં સફળ નીવડ્યા છીએ. સરકારે યુક્રેનના પાડોશી દેશો જેવા કે પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા અને હંગેરીમાં ભારતીય રાજદૂતોને કહ્યુ છે તે તેઓ પોતાના મિશનથી યુક્રેનની બોર્ડર ક્ષેત્રોમાં ટીમ મોતલે જેથી ભારતીયોને બહાર કાઢી શકાય.
વિદેશમંત્રી સમકક્ષો સાથે કરી રહ્યા છે વાત
ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર પોલેન્ડ, પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા અને હંગેરીમાં સમકક્ષો સાથે વાત કરી રહ્યા છે જેથી જલ્દીમાં જલ્જદી ભારતીયોને યુક્રેનમાંથી ભારત લાવી શકાય. આ ઉપરાંત તેઓ યુક્રેનના વિદેશમંત્રીના પણ સંપર્કમાં છે. જેથી જરુર પડ્યે ભારતીયોને એરલિફ્ટ કરી શકાય.