લદ્દાખ સહિત સરહદી વિસ્તારોમાં નવા પુલના નિર્માણથી ચીનની બેચેની બહુ વધી ગઈ છે. ચીન, જેણે તેની સરહદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી લીધું છે, તે ભારત તરફથી આ પ્રકારના પગલાંને સહજ પણે સ્વીકારી શકતું નથી. ચીની વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું[ હતું કે" સૈન્ય નિરીક્ષણ અને નિયંત્રણણ હેતુથી વિકસિત કરેલા ઇન્ફ્રાસ્ટ્રકચરનો અમે વિરોધ કરી છીએ"
ભારત તરફથી ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ બાદ ચીનનો વિરોધ
સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે 44 પુલોનું કર્યું હતું ઉદ્ઘાટન
ચીન ના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કર્યો વિરોધ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિજિયાને સરહદ પર ભારત દ્વારા બનાવવામાં આવેલા પુલો અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "પરિસ્થિતિને જટિલ બનાવે તેવા ક્ષેત્રમાં કોઈપણ પક્ષે કોઈ પગલું ભરવું જોઈએ." ચીન સૈન્ય દેખરેખ અને નિયંત્રણને ધ્યાનમાં રાખીને કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો વિરોધ કરે છે.
Extremely happy to dedicate 44 major permanent bridges to the Nation today. The Foundation Stone for Nechiphu Tunnel was also laid on this occasion in Arunachal Pradesh.
These border infrastructure projects are of strategic importance and provide connectivity to remote areas. pic.twitter.com/aaonpDFhUw
છેલ્લા પાંચ મહિના કરતાં વધુ સમયથી ચીન અને ભારતની વચ્ચે પૂર્વી લદ્દાખમાં સતત તણાવની સ્થિતિ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં બનાવવામાં આવેલા 44 પુલોનું ઉદ્ઘાટન કર્યું છે. સંરક્ષણ પ્રધાને અરૂણાચલ પ્રદેશમાં નેચીફુ ટનલનો શિલાન્યાસ પણ કર્યો હતો. 450 મીટર લાંબી આ ટનલથી ઓલ વેધર એટલે કે બારમાસી પરિવહન સુવિધા ઉપલબ્ધ કરી શકાશે.
રાજનાથસિંહે BRO ની કામગીરીના વખાણ કર્યા હતા
આ પુલો પર જમ્મુ-કાશ્મીર માં 10 પુલ, લદાખમાં આઠ, હિમાચલ પ્રદેશમાં બે, પંજાબ અને સિક્કિમ માં ચાર અને ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં આઠ - આઠ પુલ છે. રાજનાથસિંહે પોતાના સંબોધનમાં સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધા નિર્માણમાં પ્રગતિ માટે માટે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BRO ની પ્રશંસા કરી અને કહ્યું કે એક જ સમયે 44 જેટલા પુલોનું લોકાર્પણ કરવું તે એક મોટી રેકોર્ડ સમાન છે.
The inauguration of 44 bridges today will improve connectivity in the far flung areas of Western, Northern and North East sectors and fulfill the aspirations of local people. They would also meet the transport and logistics requirements of the armed forces throughout the year.
BRO એ સરહદ પરના ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં હવે વધુ ગતિથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. જ્યાં એક બાજુ કામચલાઉ પુલને કાયમી બારમાસી પુલમાં ફેરવવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી ચ મહિનાથી લઈને દોઢ વર્ષ સુધીના સમયગાળામાં વધુ 45 થી 50 નવા પુલ બનીને તૈયાર થઈ જશે.
BRO ના DG લેફટીનેન્ટ જનરલ હરપાલ સિંહ એ કહ્યું હતું કે અમે અસ્થાયી પુલને સ્થાયી પુલમાં ફેરવવાની પ્રક્રિયા આરંભી દીધી છે, આ વર્ષે અમે ત્રણ ગણી વધુ ક્ષમતા સાથે કામ કરી રહ્યા છીએ,આ આર્થિક વિકાસ, પ્રવાસન, લશ્કરની વધુ ઝડપી મૂવમેન્ટ વગેરે હેતુઓ માટે ઉપયોગી બની શકે છે.
હરપાલસિંહે કહ્યું કે, લદાખમાં મોટા પુલ બનાવવામાં આવી રહ્યા છે. 40-50 પુલ જેટલા વધુ પુલ હજુ નિર્માણાધીન છે, જે આગામી છ મહિનાથી દોઢ વર્ષના ગાળામાં પૂર્ણ થશે.