ટ્રેનમાં યાત્રા વખતે જો યાત્રી રેલવે દ્વારા જણાવવામાં આવેલી વસ્તુઓની સાથે યાત્રા કરતા ઝડપાયા તો તેમના પર દંડ લગાવવામાં આવી શકે છે.
ટ્રેનમાં મુસાફરી વખતે ખાસ રાખો આ વાતોનું ધ્યાન
ઈન્ડિયન રેલવેએ આપી ચેતવણી
ભરવો પડી શકે છે દંડ અને ખાવી પડી શકે છે જેલની હવા
ટ્રેનમાં આગની ઘટનાઓને હાલના દિવસોમાં ખૂબ વધી ગઈ છે. હાલમાં જ દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. ત્યાં જ ગાઝીયાબાદ સ્ટેશન પર પણ આગ લાગવાની ધટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને યાત્રીઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રેલવેએ ટ્વીટ કરીને જણાવ્યું કે ટ્રેનમાં યાત્રા વખતે જ્વલનશીલ પદાર્થ સાથે લઈને જવો દંડનીય અપરાધ છે. આમ કરવાથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.
કઈ કઈ વસ્તુઓ નઈ લઈ જઈ શકો?
રેલવેના ટ્વીટ અનુસાર ટ્રેનના ડબ્બામાં કેરોસિન, કોરુ ધાસ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર, માચિસ, ફટાકડા અથવા આગ લગાવી શકે તેની કોઈ પણ અન્ય જ્વલનશીલ વસ્તુઓને પોતાની સાથે લઈને યાત્રા ન કરવાની સુચના આપી છે. રેલવે તરફથી એવું કહેવામાં આવ્યું છે કે યાત્રીઓની યાત્રાને સુરક્ષિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ મધ્ય રેલવેએ જણાવ્યા અનુસાર ટ્રેનમાં આગ ફેલાવતી અથવા જ્વલનશીલ વસ્તુઓ લઈને જવી રેલ અધિનિયમ, 1989ની કલમ 164ના હેઠળ દંડનીય અપરાધ છે જેના માટે પકડાયેલા વ્યક્તિને 3 વર્ષ સુધી જેલ અથવા હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સજાઓ થઈ શકે છે.
ट्रेन में यात्रा के दौरान ज्वलनशील पदार्थ जैसे मिट्टी का तेल , पेट्रोल, पटाखे एवं गैस सिलेंडर इत्यादि ज्वलनशील सामग्री न स्वयं लेकर चलें और न ही किसी को ले जाने दें यह एक दंडनीय अपराध है l @BhopalDivision@drmkotapic.twitter.com/QtzOxlJIp2
ટ્રેનમાં સ્મોકિંગ કરતા પકડાયા તો ગયા
આટલું જ નહીં આગની ઘટનાઓ પર કાબુ મેળવવા માટે રેલવે દ્વારા બનાવવામાં આવેલી યોજના હેઠળ જો કોઈ ટ્રેનમાં સ્મોકિંગ કરતા પકડવામાં આવ્યા તો તેને જેલ જોકલવામાં આવી શકે છે. સાથે જ દંડ પણ ચુકવવો પડી શકે છે. રેલવે પરિસરમાં સિગરેટ બીડી પીવી અપરાધ છે. આમ કરતા ઝડપાવવા પર યાત્રીને 200 રૂપિયા સુધી દંડ લગાવવામાં આવી શકે છે.