ભારતીય રેલવે દેશમાં સૌથી વધારે જમીનોના માલિકી હક ધરાવે છે. સરકારી આંકડા મુજબ રેલવે પાસે ઘણા નાના મોટા રાજ્યોના કુલ ક્ષેત્રફળથી વધારે જમીન છે.
રેલવે જે જવાબ આપ્યા તે ચોંકવનાર છે. રેલવેથી મળેલા જવાબ મુજબ ભારતીય રેલવે દેશમાં લગભગ 4.77 લાખ હેક્ટેયર જમીનના માલિક છે. આ જમીન રાજધાની દિલ્હીના ક્ષેત્રફળથી પણ વધારે છે. ગોવાનું ક્ષેત્રફળ પણ રેલવેની પાસે હાજર જમીનથી ઓછું છે.
સૂચનાના અધિકાર કાનૂન હેઠળ રેલવે બતાવ્યું કે તેની પાસે રાજ્યવાર આંકડાનો ડાટા નથી. પરંતુ 31 માર્ચ 2018 સુધીમાં કુલ મળીને તેની પાસે 4.77 લાખ હેક્ટર જમીન છે.
જો દિલ્હીના ક્ષેત્રફળની વાત કરીએ તો દેશની રાજધાની 1 લાખ 48 હજાર 300 હેક્ટેયરમાં ફેલાયેલું છે. ગોવાનો ભૌગોલિક ક્ષેત્રફળ 3 લાખ 70 હજાર 200 હેક્ટેયર છે. આકંડાના આધાર પર રેલવે પાસે ગોવાથી 22 ટકા વધારે જમીન છે. જો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની વાત કરીએ તો આ પ્રદેશ માત્ર 3000 હેક્ટેયરમાં ફેલાયેલું છે.
રેલવે પાસે એ વાતની પણ જાણકારી માંગવામાં આવી હતી કે એમની કેટલી જમીનો પર ખાનગી સંસ્થાઓએ કબજો જમાવી રાખ્યો છે. તેના જવાબમાં બતાવ્યું કે 30 માર્ચ 2018 સુધી રેલવેની 844.38 હેક્ટેયર જમીન પર ગેરકાનૂની અતિક્રમણ છે. રેલવે બતાવ્યું કે રાજ્યવાર અતિક્રમણનો આંકડો તેની પાસે નથી.