રેલવે વિભાગ દ્વારા અમદાવાદ અને સુરતથી મુંબઇ જતા ગુજરાતીઓ માટે પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ કર્યો છે. જે અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ
'વિસ્ટાડોમ કોચ' દેશમાં ચાલતી ટ્રેનોના કોચમાં સૌથી વધારે આધુનિક
રેલ્વેએ શરૂ કરી સમર સ્પેશિયલ ટ્રેન
મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ 'વિસ્ટાડોમ કોચ ટ્રેન' શરૂ થઈ છે. આ અંગેની માહિતી આપતાં રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'આજથી મુસાફરો આ વિસ્ટાડોમ કોચની ટિકિટ બુક કરાવી શકશે અને મુંબઈ-સુરત પર મોટી કાચની બારીઓ, કાચની છત, ફરતી સીટો અને એક અલવોકન લાઉન્જ સાથે મનોરમ દ્રશ્યોનો પણ આનંદ ઉઠાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, વિસ્ટાડોમ કોચવાળી ટ્રેન હાલમાં તેના પ્રારંભિક તબક્કામાં છે. રેલવેના જણાવ્યાં અનુસાર, આગામી દિવસોમાં અન્ય ટ્રેનોમાં પણ વિસ્ટાડોમ કોચ જોડવામાં આવશે. મહત્વનું છે કે, ઉનાળાની રજાઓના કારણે હાલમાં રેલવે દ્વારા આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
विस्टाडोम कोच में कांच की बड़ी खिड़कियां, कांच की छतें, घूमने वाली सीटें और एक ऑब्जर्वेशन लाउंज है, जिससे यात्री सुंदर बाहरी नज़ारों का आनंद ले सकते हैं।
विस्टा डोम कोच में आरक्षण हेतु नई ट्रेन सं. 02009/02010 लागू होगी अर्थात बुकिंग ट्रेन सं. 02009/02010 के रूप में उपलब्ध है। pic.twitter.com/UDC817pdDp
દેશમાં ચાલતી તમામ ટ્રેનોમાં 'વિસ્ટાડોમ કોચ' સૌથી વધારે અદ્યતન છે. વિસ્ટાડોમ કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ હોય છે કે જેનાથી મુસાફરો બહારના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકે છે. હાલમાં રેલવેએ માત્ર ટ્રેન નંબર 02009 અને 02010 માં જ વિસ્ટાડોમ કોચ જોડ્યા છે.
રેલ્વેએ શરૂ કરી સમર સ્પેશિયલ ટ્રેન
ઉનાળાની રજાઓ તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ મહારાષ્ટ્રના બાંદ્રા ટર્મિનસથી યુપીના કાનપુર અનવરગંજ, બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર અને સુરતથી સુબેદારગંજ વચ્ચે 3 જોડી એટલે કે કુલ 6 સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે.
બાંદ્રા ટર્મિનસ - કાનપુર અનવરગંજ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન નંબર 09191 બાંદ્રા ટર્મિનસ - કાનપુર અનવરગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવારે 04.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે કાનપુર અનવરગંજ પહોંચશે.
આ ટ્રેન 14 એપ્રિલથી 16 જૂન 2022 સુધી ચલાવવામાં આવશે
આ ટ્રેન 14 એપ્રિલથી 16 જૂન 2022 સુધી ચલાવવામાં આવશે. એ જ રીતે, ટ્રેન નંબર 09192 કાનપુર અનવરગંજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે કાનપુર અનવરગંજથી 08.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.