નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢીયાએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે અને સરકારે સુધારાને આગળ ધપાવવાની યોજના બનાવી છે.
બેન્કોના ખાનગીકરણનો નિર્ણય અસાધારણ
50 વર્ષ પહેલા જે ખોટું થયું તેને સારુ કરવાનો પ્રયાસ
આર્થિક વૃદ્ધિના મોરચાની ખબર ઘણી ઉત્સાજનક
અરવિંદ પનગઢીયાએ કહ્યું કે આગામી બે નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણના નિર્ણય એક અસાધારણ પ્રયાસ છે. આ 50 વર્ષ પહેલા જે ખોટું થયું હતું તેને સારુ કરવાનો પ્રયાસ છે. તેમનો ઈશારો પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ કરેલા બેન્કોના રાષ્ટ્રીયકરણ તરફ હતો.
કોલંબિયા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પનગરીયાએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપીના 0.4 ટકાની વૃદ્ધિ દર સુસ્ત લાગે છે પરંતુ જેવી રીતે પહેલા અને બીજા ત્રિમાસિક સમયગાળામાં ક્રમશ 24.4 ટકા અને 7.3 ટકાનો ઘટાડો આવ્યો છે તેને ધ્યાનમાં લેતા ત્રિમાસિક આધારિત વૃદ્ધિ ઘણી મજબૂત દેખાય છે.
જુની ભૂલો સુધારી રહી છે સરકાર
તેમણે કહ્યું કે સરકાર ઝડપથી જુની ભૂલોને સુધારી રહી છે તેવો સંકેત છે. સરકારે ચાલુ ત્રિમાસિકમાં ગત વર્ષના આ જ સમયગાળાની તુલનામાં ખર્ચ પણ બમણો કરવાની તૈયારી કરી છે. આ બધાની ચીજોથી માગ વધશે અને ઈકોનોમીની વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. આર્થિક વૃદ્ધિના મોરચાની ખબર ઘણી ઉત્સાજનક છે.
એપીએ પર બેન્કોને ચોખ્ખી કરવી પડશે
પનગઢીયાએ કહ્યું કે તેઓ મોંઘવારીના 206 ટકાના લક્ષ્યની સમીક્ષાની તરફેણ કરે છે. હું આ લક્ષ્યને એક ટકો વધારવાના પક્ષમાં છું. પરંતુ સરકારે ઝડપથી બેન્કોની એનપીએ ચોખ્ખી કરવી પડશે. જો સરકાર ઝડપથી બેન્કોની રચના કરે અને બેન્કોના હિસાબી ચોપડામાંથી એનપીએને હટાવે તો આ સાચી દિશા તરફનું એક મોટું પગલું હશે.