ભારતની ઘણી બેંકો એકબીજા સાથે મર્જ થતાં ઘણા બધા આંતરિક ફેરફાર કરી રહી છે, આવા જ ફેરફાર આ બેંક પણ કરવા જઈ રહી છે
ઇલાહાબાદ બેંકના ગ્રાહકોની મુસીબતમાં થયો વધારો
આઇએફએસસી કોડ અપડેટ નહિ કરો તો રૂપિયા જમા નહી થાય
નવો આઇએફએસસી કોડ IDIBથી શરુ થશે
ઇલાહાબાદ બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર
જે ગ્રાહકોનું ખાતું ઇલાહાબાદ બેંકમાં છે તે હવે ઇન્ડિયન બેંકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. જેના લીધે ગ્રાહકોને હવે આઇએફએસસી કોડનું ધ્યાન રાખવું પડશે. કોઈને બેંકની માહિતી આપતી વખતે પણ આઇએફએસસી કોડનું ધ્યાન રાખવું જરૂરી છે. ગ્રાહકોએ જ્યાંથી પણ રૂપિયા જમા થવાના હોય ત્યાં આઇએફએસસી કોડ અપડેટ કરાવવો હવે ફરજીયાત છે નહીતર તમારા ખાતામાં રૂપિયા જમા નહિ થાય
આઇએફએસસી કોડમાં થયો બદલાવ
બેંક વિલયના લીધે આઇએફએસસી કોડમાં પણ બદલાવ થઇ ગયો છે અને રૂપિયાની લેવડ-દેવડ વખતે આઇએફએસસી કોડ સૌથી મહત્વનો હોય છે તેવામાં નવો આઇએફએસસી કોડ જાણીને તેને અપડેટ કરવો અગત્યનો છે. જો તમારું ખાતુ ઇલાહાબાદ બેંકમાં હોય તો એ હવે ઇન્ડિયન બેંકમાં ટ્રાન્સફર થઇ ગયું છે .બેંકે અપડેટ આપી છે કે, નવો કોડ હવે IDIBથી શરૂ થશે. નવો આઇએફએસસી કોડ જાણી લેવો ગ્રાહકો માટે અનિવાર્ય છે કારણ કે તેના વગર તમારા ખાતામાં રૂપિયા જમા નહિ થાય
આઇએફએસસી કોડ અપડેટ કર્યા વગર ખાતામાં રૂપિયા જમા નહિ થાય
અત્યારે તો જુના આઇએફએસસી કોડથી રૂપિયા ટ્રાન્સફર થઇ રહ્યા છે પરંતુ 1 જુલાઈ 2021થી જુનો આઇએફએસસી કોડ માન્ય ગણાશે નહિ અને પ્રત્યેક ગ્રાહકે નવો આઇએફએસસી કોડ અપડેટ કરવો અનિવાર્ય છે. ઇન્ડિયન બેંકની વેબસાઈટ દ્વારા નવો આઇએફએસસી કોડ જાણી શકાય છે.
ઘણીબધી રીતે તમે નવો આઇએફએસસી કોડ જાણી શકો છો જેમકે,
ઇન્ડિયન બેંકની વેબસાઈટ દ્વારા જાણી શકાય છે
IFSC<space><Old IFSC>લખીને 9266801962 પર એસએમએસ કરવાથી જાણી શકાય છે
ટોલ ફ્રી નંબર 1800 425 00 000 પર કોલ કરીને જાણી શકાય છે