અમેરિકા તરફથી ભારતને ફરી એક મોટી રાહત મળી છે. અમેરિકાના બદલાયેલા વલણના કારણે ઇરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધની અસર ચાબહાર પોર્ટ પર નહીં થાય. અમેરિકાએ કહ્યું કે ચાબહાર પોર્ટ પ્રોજેક્ટનું કામ ભારત ચાલુ રાખે તો અમને કોઇ જ વાંધો નથી.
પરંતુ સાથે જ અમેરિકાએ શરત રાખી છે કે ચાબહારથી પ્રતિબંધિત સામાન ન લઇ જવામાં આવે. અમેરિકાએ અફઘાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે જો ભારત ચાબહાર પોર્ટ પર કામ કરશે તો અફઘાનિસ્તાનને ફાયદો થશે.
ચાબહાર પોર્ટ ઇરાનમાં આવેલો છે. જ્યાં વર્ષ 2003માં વિકાસ કાર્ય કરવા માટે કરાર થયા હતા. કારણ કે જો ચાબહાર પોર્ટ વિકસીત થશે તો ભારતને પાકિસ્તાનના રસ્તે થઇને સામાન નહીં લાવવું પડે.