T20 વર્લ્ડકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલામા ભારતનો આઠ વિકેટે પરાજય થયો હતો બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન ભારતને ભારે પડ્યું હતું.
T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરમજનક હાર
ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત, ભારતે 111 રનનો આપ્યો હતો લક્ષ્યાંક
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતીય ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન
પાકિસ્તાન સામે પણ ભારતીય ખેલાડીઓ નાકામ સાબિત થયા હતા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતનો કારમો પરાજય થયો હતો. પાકિસ્તાન બાદ હવે ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ હવે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી ભારતની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. આગળની ત્રણ મેચોમાં ભારત ભારે માર્જિનથી વિજય મેળવે અને અન્ય ટીમોનો ખરાબ પરાજય થાય તો કદાચ ભારત સેમી ફાયનલમાં પહોંચી તેવી પાતળી શક્યતા બચે છે.
ભારતની બેટિંગ ખૂબ નબળી રહી હતી. ભારતે સાત વિકેટે 110 રન બનાવ્યા હતા જેમાં રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયા આ બે ખેલાડીઓ જ 20 કરતાં વધારે રન કરવામાં સફળ રહ્યા હતા. ભારતના બેટ્સમેનો ખરાબ શોર્ટ સિલેક્શનનાં પગલે આઉટ થઈ ગયા હતા. મેન ઓફ ધ મેચ સ્પિનર ઇશ સોઢી ભારતને ભારે પડ્યો હતો અને બેટ્સમેનો છગ્ગા મારવાના પ્રયાસોમાં વિકેટ ફેંકી દેતા જોવા મળ્યા હતા.
હાર્દિક-શાર્દૂલે પણ ગુમાવી વિકેટ
મેચની ઓગણીસમી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટની બોલિંગ દરમિયાન હાર્દિક પંડયા અને શાર્દૂલ ઠાકુર પણ કેચ આઉટ થયા હતા. સૌથી વધુ સ્કોર કરનાર કબેટ્સમેન હાર્દિક પંડયા 23 રનના સ્કોરે આઉટ થયો હતો. આ વિકેટ બાદ ટીમનો સ્કોર 94 રન પર છ વિકેટ થઈ ગયો હતો. બોલ્ટની ઓગણીસમી ઓવરના પ્રથમ બોલ પર હાર્દિક પંડયા અને ચોથા બોલે શાર્દૂલ ઠાકુર આઉટ થયો હતો.
વિરાટે પણ એ જ ભૂલ કરી
અગાઉ ત્રણ બેટ્સમેનો કેચ આઉટ થયા હતા. આ ત્રણેય બેટ્સમેનો છક્કો મારવાના પ્રયાસમાં બોલને ગ્રાઉન્ડની બહાર મોકલી શક્ય નહોતા અને આઉટ થઈ ગયા હતા. કેપ્ટન વિરાટ કોહલી પર જવાબદારીભરી બેટિંગની અપેક્ષા હતી પણ કોહલીએ પણ એ જ ભૂલ કરી હતી અને ભારતને ચોથો ઝટકો પડ્યો હતો. કોહલી 9 રન બનાવીને આઉટ થયો હતો. બર્થ ડે બોય ઇશ સોઢી વિરાટ અને રોહિત બંનેની વિકેટ લેવામાં સફળ થયો હતો.
રોહિતન જીવનદાન છતાં ન કરી શક્યો કમાલ
રોહિત શર્મા તેની ઇનિંગના પ્રથમ બોલર પર જ આવતાવેંત શોર્ટ પિચ બોલ પર તેનો ફેવરિટ હૂક શૉટ રમવા ગયો હતો પરંતુ કેચ ચડી ગયો હતો અને માંડ માંડ બચ્યો હતો. પરંતુ ઇશ સોઢીનાં એક લુઝ બોલ પર છક્કો મારવાના પ્રયાસમાં રોહિત આઉટ થઈ ગયો હતો. ઇશ સોઢીનાં એક લુઝ બોલ પર રોહિત લોંગ ઓન પર ગપ્ટીલ્નાં હાથે કેચ આઉટ થયો હતો.
ભારતની પ્રથમ વિકેટ ઇશાન કિશનનાં સ્વરૂપમાં મેચની ત્રીજી જ ઓવરમાં પડી હતી. ચાર રનના વ્યક્તિગત સ્કોર પર લેફટી બેટ્સમેન ઇશાન કિશન માત્ર ચાર રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. ઇશાન કિશનને આજે સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ ટીમના 11 રનના સ્કોર પર કિશને વિકેટ ગુમાવી હતી. ઇશાન કિશન તેને મળેલ ચન્સનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. તે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટનાં હાથે માત્ર ચાર રનના વ્યક્તિગત સ્કોર પર મિશેલનાં હાથમાં કેચ આપી બેઠો હતો અને આઉટ થયો હતો.
સામે લોકેશ રાહુલ પણ ઇનિંગની છઠ્ઠી ઓવરમાં સાઉધીની બોલિંગમાં મિશેલને કેચ આપી બેઠો હતો. રાહુલ 18 રનના સ્કોર પર આઉટ થયો હતો.
ન્યુઝીલેન્ડ ટોસ જીત્યું
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારતની આ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બીજી મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ઇશાન કિશનને આજે સૂર્યકુમાર યાદવના સ્થાને રમવા મળ્યું હતું. તો સામે બોલિંગમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો હતો. શાર્દૂલ ઠાકુરને ભુવનેશ્વર કુમારનાં સ્થાને ટીમમાં લેવામાં આવ્યો હતો.
ટીમમાંથી બે મોટા ખેલાડીઓને ટીમમાં લીધા નહોતા. સૂર્યકુમાર યાદવને સ્પાઝમ હોવાનું કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું. તેના સ્થાને ટીમમાં ઇશાન કિશનને સ્થાન મળ્યું હતું. તો પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ જનાર સ્વિંગ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને સ્થાન મળ્યું છે.