કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે નિર્મલા સીતારમણના બજેટનું ગણિત સમજાવવામાં અસમર્થ રહ્યા છે તો અન્ય તરફ સિંધવીએ કહ્યું કે દુશ્મન ન કરે દોસ્તને જો કામ કિયા હૈ, સાલ ભર કા ગમ જનતા કો ઈનામ દિયા હૈ.
કેન્દ્રીય નાણામંત્રીએ પોતાનું બીજું સામાન્ય બજેટ રજૂ કર્યું
બજેટ પર વિપક્ષે મોદી સરકારને ઘેર્યા
બજેટનું ગણિત સમજાવવામાં અસમર્થ રહ્યા નાણામંત્રીઃ આનંદ શર્મા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું બીજું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું છે. મોદી સરકાર 2.0ના અન્ય બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા આવવાનું શરૂ થયું છે. અર્થવ્યવસ્થાને લઈને અનેક ચેલેન્જનો સામનો કરી રહેલી મોદી સરકાર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી અને આનંદ શર્માએ પ્રહાર કર્યો છે.
અભિષેક મનુ સિંઘવીએ કરી ટ્વિટ
સિંઘવીએ કહ્યું કે દુશ્મન ન કરે દોસ્તને જો કામ કિયા હૈ, સાલ ભર કા ગમ, ગરીબો પર જુલ્મો સિતમ, ફિર સે જનતા કો ઈનામ દિયા હૈ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે નિર્મલા સીતારમણ બજેટનું ગણિત સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે. 4.8 ટકાની જીડીપી વૃદ્ધિની સાથે 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય એક પાઈપ ડ્રીમ છે.
Nirmala Seetharaman has failed to explain the budgetary maths. As revenue receipts till November are only 45% of the budget estimates there is a gaping hole. Flowery language and high-sounding words and platitudes are meaningless. #Budget2020
નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને બહુમત મળ્યો. 2019ની ચૂંટણી જીત્યા બાદ અમારી નીતિઓ પર જનાદેશ મળ્યા છે. લોકોને અમારી સરકાર પર ભરોસો છે, આ બજેટ દેશની આકાંક્ષાઓનું બજેટ છે.