છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા સંક્રમિત કેસમાં સામાન્ય ઘટાડા સાથે કુલ કેસ 1.60 લાખને પાર થયા છે તો 12.58 લાખ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે.
કોરોના વાયરસનું સંક્રમણ
દેશમાં એક દિવસમાં 1.60 લાખ કેસ, 880 મોત
ભારતમાં કુલ 1.36 કરોડ કેસ
12.58 લાખ એક્ટિવ કેસ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાનું સંક્રમણ થોડું ઘટ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ભારતમાં એક દિવસમાં 1.60 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા છે તો દેશમાં કુલ 1.36 કરોડ કોરોના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ દેશમાં 12.58 લાખ કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. કોરોના બાદ કુલ 1.22 કરોડ લોકો સાજા થયા છે તો સાથે જ કોરોનાથી દેશમાં કુલ 1.71 લાખ લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 51 હજાર કેસ નોંધાયા છે.
આ સમયે 96 હજાર 727 દર્દીઓ સ્વસ્થ થયા છે જેની સાથે જ હવે 1 કરોડ 22 લાખ 50 હજાર 440 દર્દીઓ કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. આ સમયે સક્રિય કેસ વધીને 12.58 લાખ સુધી પહોંચી ચૂક્યા છે. તો 880 દર્દીઓના મોત સાથે કુલ સંખ્યા 1 લાખ 71 હજાર 89 સુધી પહોંચી છે.
જાણો રિકવરી રેટ અને ડેથ રેટ
દેશમાં રિકવરી રેટ આંશિક રીતે ઘટીને 89.51 ટકા થયો છે અને સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 9.19 ટકાની થઈ છે. જ્યારે મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में 51,751 नए #COVID19 मामले, 52,312 रिकवरी और 258 मौतें दर्ज़ की गई।
कुल मामले: 34,58,996
कुल रिकवरी: 28,34,473
मृत्यु: 58,245
सक्रिय मामले: 5,64,746 pic.twitter.com/6KS9eEQnWM
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના સંક્રમણ
મહારાષ્ટ્ર કોરોનાના સક્રિય કેસમાં ટોચ પર છે. રાહતની વાત એ છે કે નવા કેસની સરખામણીએ સ્વસ્થ દર્દીની સંથ્યા વધારે હોવાથી સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ સમયે અહીં સૌથી વધારે સક્રિય કેસ 5,64,746 સુધી પહોંચ્યા છે.
24 કલાકમાં મહારાષ્ટ્રમાં 51 હજાર નવા કેસ આવ્યા
રાજ્યમાં સંક્રમણના સમયે 51 હજાર 751 નવા કેસ આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 34,58,996 થઈ છે અને સાથે સારવાર લઈ ચૂકેલા દર્દીની સંખ્યા 28,34,473 થઈ છે. સૌથી વધારે 258 દર્દીના મોત સાથે મોતનો કુલ આંક 58,245 સુધી પહોંચી ચૂક્યો છે.