ભારતમાં કોરોનાના કેસમાં નવા કેસોનો ગ્રાફ ફરી ઉપર ચઢ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 44,230ના નવા કેસો આવ્યા.
નવા કેસોનો ગ્રાફ ફરી ઉપર ચઢ્યો
સરકારે થોડા દિવસ પહેલા જ આપી હતી ચેતવણી
રસીકરણ પર પણ વધુ ધ્યાન આપે
નવા કેસોનો ગ્રાફ ફરી ઉપર ચઢ્યો
ભારતમાં કોરોનાના કેસમાં નવા કેસોનો ગ્રાફ ફરી ઉપર ચઢ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 44,230ના નવા કેસો આવ્યા. છેલ્લા ત્રણ અઠવાડિયામાં આવેલ કેસોમાં આ આંકડો સૌથી વધુ આવ્યો છે. અત્યાર સુધીમાં 4,23,217 લોકોની મોત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 555 દર્દીઓના મોત થયા. કોરોના સંક્રમણની વધતી સ્પીડ દર્શાવતી R વેલ્યૂ ભારતમાં વધી રહી છે. R વેલ્યૂ એટલે રી પ્રોડક્શન વેલ્યૂ. સરળ શબ્દોમાં કહીએ તો એક સંક્રમિત વ્યક્તિ કેટલા વ્યક્તિને સંક્રમિત કરી શકે. દક્ષિણના કેરળમાં આ વેલ્યૂ હાલ 1.11 છે. કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી 22 હજાર ની આસપાસ કેસ આવી રહ્યા છે. ભારતમાં જે કેસ આવે છે તેમાંથી 37 ટકા કેસો અહિયાંથી જ આવે છે.
સરકારે થોડા દિવસ પહેલા જ આપી હતી ચેતવણી
નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી કે પોલે દિલ્હી સરકારને કહ્યું છે કે સાવધાન રહેજો કારણકે આગામી ત્રણ મહિના ખૂબ જ મહત્વના છે અને કોઈ પણ છૂટછાટ આપતા કોરોનાનું સંક્રમણ વધી શકે છે. દિલ્હીમાં DDMAની બેઠકમાં તેમણે આ સલાહ આપી હતી કે રાજધાનીમાં કોઈ પણ પ્રકારની યાત્રાઓ પર પ્રતિબંધ લગાવતા પહેલા દિલ્હી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સંપર્ક કરે.
કોઈ પણ નિર્ણય લેતા પહેલા કેન્દ્રનો કરે સંપર્ક
ડૉક્ટર પોલે કહ્યું કે અનલોક કરવાની રીતથી કોરોનાના કેસોમાં વધારો થઈ શકે છે. પણ હાલ દિલ્હીમાં સંક્રમણનો દર સૌથી ઓછો છે. 20 જુલાઇની આ બેઠક સાર્વજનિક કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે આગામી ત્રણ મહીના આપણે સાવધાન રહેવાની જરૂર છે. મુખ્ય સચિવ વિજય દેવ દ્વારા કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ની 12 રાજ્યોમાં હાજરી જોવાની વાત કરી અને પૂર્વોત્તરના રાજ્યમાં વધુ સંક્રમણ હોવાની પણ વાત કરી. તેમણે કહ્યું કે દિલ્હીએ પહેલા અમુક પ્રતિબંધો લગાવ્યા હતા, જેમ કે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રથી આવતા યાત્રીઓએ નેગેટિવ RT-PCR બતાવવો ફરજિયાત હતો.
રસીકરણ પર પણ વધુ ધ્યાન આપે
પોલે સલાહ આપતા કહ્યું કે દિલ્હીમાં આંતરરાજ્ય યાત્રા પર કોઈ પણ પ્રકારે પ્રતિબંધ લગાડતા પહેલા ભારત સરકારની સલાહ લેવી જોઈએ. કારણકે આ દેશની રાજધાની છે. વધુમાં આ બેઠકમાં એ પણ સલાહ આપવામાં આવી કે નેગેટિવ RT-PCR બતાવ્યા કરતાં વેક્સિન લીધાનું પ્રમાણ પત્ર બતાવવું આવશ્યક અને ફરજિયાત કરવું જોઈએ. જેનાથી રસીકરણને પણ વેગ મળશે. રાષ્ટ્રની રાજધાનીમાં કોવિડ માટેના પ્રતિબંધો DDMA નક્કી કરે છે. મુખ્ય સચિવની બેઠકમાં રસીકરણ પર પણ વધુ ભાર આપવામાં આવ્યું, જેમાં કહ્યું કે પ્રશાસન આ રીતે રસી ખરદીવાથી લઈ બીજા ઘણા વિકલ્પો શોધી શકે છે. સાથે જ રાજ્યના બધા જ વર્ગો માટે રસીકરણ પર પણ વધુ ધ્યાન આપે તેવું કહેવામાં આવ્યું.