નાગરિકતા કાયદા મામલે હવે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે. નાગરિકતા કાયદા મામલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતના નિર્ણયથી શરણાર્થીઓની સમસ્યા વધશે. જે મામલે UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. નાગરિકતા સંશોધન પર ચીને પ્રતિક્રિયા આપવાનું ટાળું હતું. ભારતે પાકિસ્તાનને બે શબ્દમાં કહી દીધું કે ઈમરાન ખાન પાકિસ્તાનની ચિંતા કરે. ત્યાંના લોકોની ચિંતા કરે, ભારતની નહીં. આ સમયે ચીને કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળીને CAAને ચીને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.
આ મામલે ચીને પણ CAAને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. કોલકાતામાં ચીનના કોન્સ્યુઅલ જનરલ ઝા લિયોઉએ નિવેદન આપ્યું છે કે ભારત આંતરિક મામલાનું જાતે સમાધાન લાવશે. ભારત-ચીનના સંબંધો સારા હોવાનું જણાવ્યું હતું.
મોદી સરકારને મળ્યું ચીનનું સમર્થન
ચીની મીડિયામાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને મોદી સરકારને સમર્થન મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર વિરોધ પ્રદર્શનને કાબૂમાં લેવા ઈન્ટરનેટ બંધ કરવાના પગલાંને ચીને યોગ્ય ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નાગિરકતા સંશોધન કાયદો ગયા અઠવાડિયે સંસદમાં પસાર થયો હતો અને ત્યારબાદ અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન પણ ચાલુ થયા હતા. આ કાયદાના આધારે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદું, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની યોજના છે.
UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે કહી આ વાત
ગ્લોબલ રેફ્યુજી ફોરમમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા આપવામાં આવેલા નિવેદનની ભારતે નિંદા કરી છે. જીનેવામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજીવ ચંદરે કહ્યું કે અમે પાક, પીએમ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો અસ્વીકાર કરીએ છીએ. પાકિસ્તાન માનવાધિકારનું સ્વઘોષિત ચેમ્પિયન છે, જેને 1947થી હાલ સુધી અલ્પસંખ્યક સમુદાયની સંખ્યાને 23 ટકાથી 3 ટકા કરી છે. પાકિસ્તાનને દંડાત્મક ઈશ નિંદા કાયદા, ઉત્પીડન અને જબરદસ્તી ધર્માતરણથી આ કામ કર્યું છે.
Rajiv K Chander: Pakistan is a self-proclaimed champion of human rights that has shrunk the size of its own minority community, 23% in 1947 to 3% today, by subjecting them to draconian blasphemy laws, systemic persecution, blatant abuse and forced conversions. https://t.co/CS02mJi5Yu
રાજીવ ચંદરે કહ્યું કે ભારતના નાગરિકોને પોતાની તરફથી બોલવા માટે કોઈની જરૂર નથી. ઓછામાં ઓછા એ લોકોની નહીં જેઓએ નફરતની વિચારધારાના આધારે આતંકવાદનો ઉદ્યોગ ઊભો કર્યો છે. જો ઈમરાન ખાન પોતાના લોકો અને દેશના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો આ બાબત તેમના દેશ માટે સારી હશે.
Rajiv K Chander: Citizens of India don't need anyone else to speak on their behalf, least of all those who have built an industry of terrorism based on the ideology of hate. It would serve PM Khan and his country well, if he focuses on the welfare of his own people and country. pic.twitter.com/0sHYatBRyQ
સ્વિત્ઝરલેન્ડના જીનેવામાં આયોજિત ગ્લોબલ ફોરમ ઓફ રેફ્યુજીમાં વાત કરતાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલમાં ભારતમાં એક નાગરિકતા કાયદો લાવવામાં આવ્યો છે જેના કારણે ભારતના લાખો મુસલમાનો દેશ છોડવા માટે મજબૂર છે. તેનાથી એક એવું શરણાર્થી સંકટ ઊભું થયું છે જેની આગળની દુનિયાના અન્ય સંકટ નાના છે. તેઓએ કહ્યું કે આ શરણાર્થી સંકટના કારણે દક્ષિણ એશિયાના બે પરમાણુ સંપન્ન દેશોની વચ્ચે પણ વિવાદ થઈ શકે છે. આ મુદ્દાને લઈને અન્ય દેશોને આગ્રહ કરતાં ઈમરાને કહ્યું કે પાકિસ્તાન વિવાદિત કાશ્મીરમાં ભારત દ્વારા લગાવવામાં આવેલા કર્ફ્યૂના આધારે ભારતથી આવનારા શરણાર્થીઓને સ્થાન આપશે નહીં.