ભારત અત્યારે કોરોના વાયરસને લઈને સૌથી પ્રભાવિત દેશોમાંનો એક છે. શુક્રવારે ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 40 લાખને પાર પહોંચી છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના 83341 કેસ આવ્યા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં એક જ દિવસમાં 80 હજારથી વધારે કેસ આવ્યા છે. દુનિયામાં લગભગ સૌથી વધારે કેસમાં ભારત ત્રીજા નંબરે છે. પહેલા નંબરે અમેરિકા, બીજા નંબરે બ્રાઝિલ છે. શુક્રવારે કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા પણ 1000થી વધારે રહી છે.
ભારતમાં વકર્યો કોરોના
સૌથી વધારે કેસમાં ભારત ત્રીજા નંબરે
છેલ્લા 3 દિવસથી આવી રહ્યા છે 80000થી વધુ કેસ
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં એક જ દિવસમાં સૌથી વધારે દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ 5 રાજ્યો એવા છે જ્યાં કુલ કેસના 62 ટકા દર્દીઓ જોવા મળી રહ્યા છે.
30 લાખથી વધુ દર્દીઓ થયા છે સાજા
ભારતમાં શુક્રવારે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે. સ્વસ્થ થવાની સાથે 77 ટકા દર્દીઓ રાહત મેળવી ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી સ્વસ્થ થયેલા રોગીની સંખ્યા શુક્રવારે 30,37,151 પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી છે કે કોરોના સંક્રમણથી રાહત પામનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનાના દર્દીઓ માટે ખાસ પ્રોટોકોલ તૈયાર કરાયા છે અને તેની પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના કારણે ભારતમાં સંક્રમણના કેસમાં મૃત્યુ દર વૈશ્વિક રીતે ઝડપથી ઘટી રહ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓમાં 0.5 ટકાથી પણ ઓછા દર્દીઓ વેન્ટિલેટર પર છે.
आंध्र प्रदेश में पिछले 24 घंटों में 10,776 नए कोरोना मामले, 12,334 रिकवरी और 76 मौतें दर्ज की गई। कुल मामलों की संख्या 4,76,506 हो गई है, जिनमें 3,70,163 रिकवरी और 4,276 मौतें शामिल हैं। सक्रिय मामलों की संख्या 1,02,067 है : राज्य स्वास्थ्य विभाग pic.twitter.com/Fl1ZnbZIyG
દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 66659 દર્દીના સ્વસ્થ થવાની સાથે ભારત સતત 8મા દિવસે 60000થી વધારે દર્દીના સંક્રમણથી બહાર આવવાનો માર્ગ શોધી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે કોરોના રોગીના સ્વસ્થ થવાનો દર 77.15 ટકા છે જે દર્શાવે છે કે છેલ્લા અનેક મહિનાથી કોરોના સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.