કોંગ્રેસ, TMC સહિત ઘણાં દળોનાં સંસદ લોકસભામાં ભારત-ચીન બોર્ડરનાં મુદાને લઇને ચર્ચાની માંગ કરી રહ્યાં હતાં. આ મુદાને લઇને સંસદમાં હોબાળો થયો અને વિપક્ષએ વોકઆઉટ કર્યો.
લોકસભામાં વિરોધ પક્ષે કર્યું વોકઆઉટ
ભારત-ચીન મુદે સદનમાં ચર્ચાની કરી માંગ
સરકારે અનુમતી ન આપતાં સંસદમાં થયો હોબાળો
અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીનનાં સીમા વિવાદને લઇને હાલમાં થયેલ સૈનિકોની અથડામણનાં મુદા પર લોકસભામાં બુધવારે હોબાળો થયો. કોંગ્રેસ સંસદ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસનાં લોકસભાનાં સભ્યો અને TMCનાં સંસદોએ સદનથી વોકઆઉટ કરી વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષ ભારત-ચીન મુદા પર વાતચીતની માંગ કરી રહી હતી. બુધવારે જેવો પ્રશ્નકાળ સમાપ્ત થયો તેવો કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ આ મુદા પર ચર્ચા કરવા માટે માંગ કરી હતી.
'જવાહરલાલ નહેરૂએ પણ આ મુદે વાત કરવા આપી હતી અનુમતી'
તેમણે સંસદમાં કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂએ 1962ની સાલમાં ભારત-ચીન યુદ્ધ પર લોકસભામાં ચર્ચા કરવાની પરવાનગી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ભારત-ચીન સીમા સ્થિતિ પર ચર્ચાની માંગ કરતાં રહ્યાં છીએ. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું હતું, જવાહરલાલ નહેરૂએ આ સદનમાં 165 સાંસદોને બોલવાનો મોકો આપ્યો હતો. અને ત્યારબાદ નક્કી કર્યું હતું કે આપણને શું કરવું જોઇએ.
17 Opposition parties stage walkout from Rajya Sabha over India-China border clash
સ્પીકરે આપ્યો જવાબ
કોંગ્રેસ નેતાની માંગનો જવાબ આપતાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે જેવી સદનની કાર્યવાહી આગળ વધારી, કોંગ્રેસની સાથે TMCએ પણ વિરોધ પ્રદર્શન કરતાં સદનથી વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સીમા મુદા પર ચર્ચાની અનુમતી ન આપવાનાં આરોપો લગાવ્યાં. TMCનાં સદસ્ય સુંદીપ બંદ્યોપાધ્યાયએ પણ સદનમાં ચર્ચાની માંગ કરતાં કહ્યું કે તેમની પાર્ટીનાં સદસ્યો સરકારની વિરોધમાં વોકઆઉટ કરી રહ્યાં છે.