મહારાષ્ટ્રમાં છેલ્લા એક વર્ષમાં વિભિન્ન કારણોથી 19 હજાર 799 બાળકોના મોત થઈ ચુક્યા છે. જેમાં બાળકોના ઓછા વજન અને શ્વાસ સાથે જોડાયેલી બીમારી આદિ કારણો શામેલ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી દીપક સાવંતે આ જાણકારી આપતા કહ્યુ હતુ કે આ તમામ મોત એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચે થઈ છે.
દીપક સાવંતે જણાવ્યુ કે આ અવધિમાં મોતનું મુખ્ય કારણ જન્મના સમયે ઓછુ વજન સમય પહેલા પ્રસવ સંક્રામક બીમારી જન્મજાત શ્વસન બિમારીઓ અને ઘણા પ્રકારની વિકૃતિઓ શામેલ છે. જો કે મરનાર બાળકોની ઉંમર શું હતી તેના વિશે મંત્રીએ કોઈ જાણકારી આપી નથી.
મૃત્યુને રોકવા માટે ઉઠાવાયા પગલા
બાળકોની મોતને રોકવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની આંગણવાડીઓના માધ્યમથી રાજ્યના મહિલા અને બાળ વિકાસ સેન્ટરમાં ચલાવવામાં આવી રહેલી યોજનાઓમાં બાળકોને પૌસ્ટીક ભોજન સ્વાસ્થ્ય સેવા શિક્ષા અને દવાઓ વગેરે આપવામાં આવે છે. જ્યારે ગર્ભવતી મહિલાઓને 42 દિવસ સુધી મફત સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
બીમાર નવજાતની 1 વર્ષ સુધી મફતમાં સારસંભાળ
શિશુ થયા બાદ બીમાર બાળકોની 1 વર્ષ સુધી મફત દેખભાળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોષક ભોજનના વિશે પણ જાણકારી આપવામાં આવી રહી છે. સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં ગર્ભવતી મહિલાઓને મફત સારવાર કરવામાં આવ્યો છે. નવજાત શિશુઓનું પણ સમય-સમયે ટીકાકરણ કરવામાં આવ્યુ છે.