ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગ્લોરમાં ડે-નાઈટ રમાઈ રહી છે. રવિવારે આ મેચનો બીજો દિવસ હતો. પરંતુ રમત શરૂ થતા પહેલા થોડી અડચણ આવી. બીજા દિવસે જ્યારે બંને ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે મધમાખીઓના સમૂહે ખેલાડીઓ પર એટેક કર્યો. જેના કારણે મેચ થોડી મિનિટો માટે અટકાવવી પડી.
ભારત શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટમાં મધમાખીઓનો એટેક
જેના કારણે મેચ થોડી મિનિટો માટે અટકાવવી પડી
ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી મેચ સીરીઝની અંતિમ ટેસ્ટ
...અને મધમાખીઓના એક સમૂહે ખેલાડીઓ પર કર્યો એટેક
શ્રીલંકાના બેટ્સમેન જ્યારે ક્રીઝ પર પોતાનુ ગાર્ડ લઇ રહ્યાં હતા ત્યારે તેની સામે સાઇટ સ્ક્રીન પાસે થોડી હલચલ જોવા મળી હતી. જેને શ્રીલંકાના ખેલાડીઓએ નોટીસ કરાવી. જ્યારે કેમેરો ફર્યો ત્યારે સાઈટ સ્ક્રીન પાસે મધમાખીઓનુ એક સમૂહ હતુ. જે વારંવાર સામે આવી રહ્યું હતુ. જેના કારણે મેચ ત્રણ-ચાર મિનિટ માટે સ્થગિત થઇ હતી અને બાદમાં શરૂ થઇ હતી. ઉલ્લેખનીય છે કે બેંગલોરમાં રમાતી ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી મેચ સીરીઝની અંતિમ ટેસ્ટ છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં પહેલેથી જ 1-0થી આગળ છે.
ભારતીય ટીમ 252ના સ્કોરે થઇ ઓલઆઉટ
ડે-નાઈટ ટેસ્ટના પ્રથમ દિવસે કુલ 16 વિકેટ પડી હતી. ભારતીય ટીમ 252ના સ્કોરે ઓલઆઉટ થઇ હતી. જ્યારે મેચના પહેલા દિવસે જ ભારતીય ટીમે શ્રીલંકાના 86ના સ્કોરે 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ ડે-નાઈટ ટેસ્ટમાં બેંગ્લોરની પિચ અલગ-અલગ કરતબ બતાવી રહી છે. ખાસ વાત એ છે કે બેંગ્લોરની પિચને લઇને એવી વાત થતી હતી કે પરંતુ અહીં સ્પિનરો અને ફાસ્ટ બોલર બંનેએ પોતાનુ જાંબાઝ પ્રદર્શન બતાવ્યું હતુ. શ્રીલંકાની ટીમ તરફથી સ્પિનરોએ ભારતીય ટીમની સૌથી વધુ વિકેટ લીધી. જ્યારે ભારતીય ટીમ તરફથી બુમરાહ-શમીની જોડીએ સારું પ્રદર્શન કર્યુ.