ક્રિકેટ રસીકો માટે એક ખરાબ સમાચાર છે, ટી20 વર્લ્ડ કપ 2022માં 23 ઑક્ટોબરનાં મેલબર્ન ગ્રાઉન્ડમાં થનાર ભારત-પાકિસ્તાન મેચ રદ થઇ શકે છે. આ મેચ અમેરિકન સમય અનુસાર સાંજે 7 વાગ્યે થવાની હતી જે સંભવત: રદ થશે.
IND vs PAK મેચ થઇ શકે છે રદ
મેલબર્નમાં છે ભારે વરસાદની આગાહી
મેચ રદ થતાં બંને ટીમને 1-1 અંક મળશે
IND vs PAK : ટી2- વર્લ્ડકપની શરૂઆતમાં જ ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. મળેલ માહિતી અનુસાર 23 ઑક્ટોબર 2022નાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી T20 વર્લ્ડકપ મેચ સંભવત: રદ થઇ શકે છે. આ મેચ મેલબર્નમાં આવેલ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યે અને અમેરિકી સમય સાંજે 7 વાગ્યે થનાર હતો જે મેચ હવે રદ થઇ શકે છે.
મેચ રદ થવાનું કારણ
ભારત- પાકિસ્તાન વચ્ચે થનારી આ મેચનાં માંથે નવું સંકટ આવી પડ્યું છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં થનારી આ મેચ ભારી વરસાદને લીધે રદ થઇ શકે છે. વેધર એક્યપર્ટનું કહેવું છે કે 23 ઑક્ટોબરનાં રોજ મેલબર્નની ધરતી પર ભારે વરસાદ વરસી શકે છે. રિપોર્ટનું માનીએ તો તે દિવસે ગ્રાઉન્ડ પર ટૉસ થવાની સંભાવના ઘણી ઓછી છે.
મેચ કેન્સલ થતાં આ છે નુક્સાન
ભારે વરસાદને લીધે જો આ મેચ રદ થાય છે તો બંને ટીમને 1-1 અંક મળશે. આઇસીસીએ આ સંબંધિત નિર્દેશન પહેલાં જ જાહેર કરી ચૂકી છે. ખાસ વાત તો એ છે કે સુપર 12 સ્ટેજની મેચો માટે કોઇ રિઝર્વ ડે પણ ફાળવવામાં આવ્યો નથી તેથી રદ થયેલ મેચ બીજા દિવસે રમવાનું પણ શક્ય બનશે નહીં.
સુપર 12સ્ટેજમાં ટીમ ઇન્ડિયા
ટીમ ઇંડિયાની પહેલી મેચ 23 ઑક્ટોબરના પાકિસ્તાન સાથે, 27 ઑક્ટોબરનાં ગ્રુપ A રનર અપ સાથે, ત્રીજી મેચ 20 ઑક્ટોબરના સાઉથ આફ્રિકા સાથે અને ચોથી મેચ 2 નવેમ્બરનાં બાંગ્લાદેશ સાથે રમશે. અને છેલ્લે 6 નવેમ્બરનાં ગ્રુપ B રનર અર ટીમ સામે મેચ રમશે.