ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક ગ્રાઉન્ડમાં રમાશે. ભારત માટે આ પ્રવાસની શરૂઆત સારી રહી છે. જેમાં ટીમે પ્રથમ મેચમાં 204 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી.
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પહેલી T-20માં 6 વિકેટે હરાવ્યું હતું
મેચ ઓકલેન્ડના ઈડન પાર્ક ગ્રાઉન્ડમાં રમાશે
જો ન્યૂઝીલેન્ડે ત્રણ દિવસની અંદર ભારતની 2-0ની લીડ રોકવી હોય તો એલર્ટ રહેવું પડશે. બીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ બોલિંગ વિભાગમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.
ઓપનર
રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી પર ઓપનિંગ જવાબદારી રહેશે. આ મેચમાં કેએલ રાહુલ વિકેટકીપિંગ ચાલુ રાખશે. ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં રાહુલે 27 બોલમાં 56 રનની ઝડપી ઇનિંગ ફટકારી હતી, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા.
નંબર
ત્રીજા ક્રમે કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરશે. પ્રથમ ટી-20 મેચમાં વિરાટ કોહલીએ 32 બોલમાં 45 રનની ઇનિંગ્સ રમી હતી.
નંબર 4
શ્રેયસ અય્યરને 4 નંબર પર તક મળશે. પ્રથમ ટી-20 મેચમાં શ્રેયસ અય્યરે 29 બોલમાં અણનમ 58 રન રમીને ચોથું સ્થાન મજબૂત કરી લીધું છે.
નંબર 5
મનીષ પાંડે 5માં ક્રમે બેટિંગ કરવા ઉતરી શકે છે. મનીષ પાંડેની મેચ સમાપ્ત કરવાની જવાબદારીને કારણે ભારતની ટી-20 બેટિંગ લાઇન-અપ સંતુલિત લાગે છે.
ઓલરાઉન્ડર અને નંબર 6
ઝડપી બોલિંગની સાથે વિસ્ફોટક બેટિંગમાં પણ નિષ્ણાત એવા શિવમ દુબેને નંબર 6 પર તક મળી શકે છે. જો ભારત કોઈ વધારાનો સ્પિનર મેદાનમાં ઉતરે તો ઓલરાઉન્ડર શિવમ દુબે ત્રીજો ઝડપી બોલરનો વિકલ્પ હશે.
ઓલરાઉન્ડર અને નંબર 7
લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જાડેજા સ્પિન વિભાગમાં યુઝવેન્દ્ર ચહલનું સાથ આપશે અને નંબર 7 પર બેટિંગ કરશે.
સ્પિન વિભાગ
આ મેચમાં યુઝવેન્દ્ર ચહલ સ્પિન વિભાગમાં રમતા જોવા મળશે.