ઈંગ્લેન્ડ સામે હેડિંગ્લે ટેસ્ટમાં ભારતીય ટીમે 76 રનની કારમી હારનો સામનો કર્યો હતો. હવે પાંચ મેચોની શ્રેણીમાં બંને ટીમો 1-1ની બરાબરી પર છે. જ્યારે બે ટેસ્ટ હજુ રમાવાની બાકી છે.
હેડિંગ્લે ટેસ્ટમાં ભારતની હાર બાદ ભારતીય ટીમની વધી મુશ્કેલી
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા થયો ઈજાગ્રસ્ત
જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
ભારતીય ટીમની વધી મુશ્કેલી
હેડિંગ્લે ટેસ્ટમાં ભારતના પરાજય બાદ ભારતીય ટીમની મુશ્કેલી વધી શકે છે. કારણકે રવિન્દ્ર જાડેજા ઘાયલ થયા છે. 32 વર્ષના ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લીડ્સ ટેસ્ટના બીજા દિવસે ગોઠણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા ગયા હતા. તેમણે આ વાતની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસ્વીર
રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓ હોસ્પિટલમાં જોવા મળી રહ્યાં છે. તેમણે કેપ્શનમાં લખ્યું, આ સારી જગ્યા નથી. તો પ્રશંસકોએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. તો હવે રવિન્દ્ર જાડેજાને લઈને સસ્પેન્સ ઉભુ થયુ છે. જો તેમને ઈજામાં વધારે સમય જશે તો તેમના માટે આગામી 2 ટેસ્ટમાં મેચ રમવી મુશ્કેલ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ અને 5મી ટેસ્ટ મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમવામાં આવશે.