ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની વચ્ચે બીજી ટી-20 મેચ 14 જુલાઈએ રમાશે. આ મેચમાં ભારતીય ટીમનો ધુરંધર ખેલાડી બહાર થઇ શકે છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ 14 જુલાઈએ રમાશે
વિરાટ કોહલી બીજી ટી-20 મેચમાં પણ ના રમે તેવી શક્યતા
ઈજા હોવાના કારણે ના રમે તેવી શક્યતા
ભારતીય ટીમને લાગ્યો ઝટકો
ગુરૂવારની મેચમાં ભારતીય ટીમની નજર મેચ જીતીને શ્રેણી પર વિજય મેળવવા પર રહેશે. આ મેચ પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ટીમનો એક ધુરંધર બેટર આ મેચમાં નહીં રમી શકે. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડની સામે પહેલી વન-ડે મેચમાં નહોતા રમી શક્યા. વિરાટ કોહલીને ત્રીજી ટી-20 મેચ દરમ્યાન કમરમાં વાગ્યુ હતુ. વિરાટ ભલે મેચમાં ના રમી શક્યા પરંતુ તે ટીમની સાથે ઓવલ સ્ટેડિયમ આવશ્ય આવ્યા હતા. હવે વિરાટ કોહલીને લઇને એવી અપડેટ આવી રહી છે કે તેમને હજુ સારું થયુ નથી અને બની શકે કે તેઓ બીજી વન-ડે મેચ પણ નહીં રમી શકે.
વિરાટ કોહલીના સ્થાને શ્રેયસ ઐયરને મળી હતી જગ્યા
પહેલી વન-ડેમાં વિરાટ કોહલીના સ્થાને શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું હતુ. તેઓ આગામી મેચમાં પણ વિરાટ કોહલીના સ્થાને રમતા દેખાઈ શકે છે. એએનઆઈના રિપોર્ટ મુજબ, બીસીસીઆઈના સુત્રોએ માહિતી શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ અત્યાર સુધી રિકવર કરી શક્યા નથી અને બની શકે છે કે તેઓ ગુરૂવારે યોજાનારી બીજી વન-ડેમાં પણ ટીમનો ભાગ ના હોય.