મહારાષ્ટ્રમાં સેન્ટ્રલ રેલવેએ એપ્રિલના અંત સુધી 106 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી દીધી છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉનની ચર્ચા
સેન્ટ્રલ રેલવેએ 106 ટ્રેનો દોડાવવાની કરી જાહેરાત
વતનની વાટ પકડનાર લાખો પ્રવાસીઓની મુશ્કેલીઓ ઘટશે
મહારાષ્ટ્રમાં લોકડાઉનની ચર્ચા ચાલી રહી છે ત્યારે સેન્ટ્રલ રેલવેએ મુંબઈ, પૂણે, સોલાપુરથી ઉત્તર ભારતના શહેરો સુધી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
106 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાના સેન્ટ્રલ રેલવેના આ નિર્ણયથી પોતાના વતનની વાટ પકડનાર લાખો મજૂરોને મદદ મળશે અને તેઓ સરળતાથી ઘેર જઈ શકશે.સેન્ટ્રલ રેલવે દ્વારા જારી એક નિવેદનમાં કહેવાયું કે પ્રવાસીઓએ ડરવાની કોઈ જરુર નથી.જો જરુર પડશે તો બીજી પણ કેટલીક ટ્રેનો દોડાવવામાં આવશે.
માંગ વધશે તો ડુપ્લીકેટ ટ્રેનો પણ ચલાવવામાં આવશે
7 એપ્રિલથી અત્યાર સુધી 25 સ્પેશિયલ ટ્રેનો ઉત્તર ભારતીય શહેરો માટે શરુ થઈ છે. આ શહેરો માટે ટ્રેનોની માંગ ઘણી વધારે છે. માંગ વધવા પર ડુપ્લીકેટ ટ્રેનો પણ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે ગોરખપુર માટે એક ખાસ ટ્રેન દોડાવાઈ હતી. તમામ ટ્રેનો લગભગ ફૂલ થઈ ચૂકી છે. રેલવેએ એક પણ ટ્રેન બંધ ન કરવાની પણ વાત કરીને પ્રવાસીઓને કોઈ પણ જાતનો ડર ન રાખવાની પણ અપીલ કરી છે.
ફક્ત કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓ જ સફર કરી શકશે.
સેન્ટ્રલ રેલવેના જણાાવ્યાનુસાર ફક્ત કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓ જ ટ્રેનમાં સફર કરી શકશે. રાજ્યમાં લોકડાઉનની ચર્ચા ચાલી રહી છે તેની વચ્ચે મુંબઈમાંથી બહાર જનારી રેલગાડીઓમાં ભીડ વધી ગઈ છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી રેલગાડીઓમાં ઘણી ભીડ છે. રેલગાડીઓમાં ભીડ ગરમીની સિઝનને કારણે છે. લોકો લગ્ન-સગાઈ માટે પોતપોતાના વતન જઈ રહ્યાં હોવાથી ગાડીઓમાં ભીડ વધી રહી છે.