IT ડિપાર્ટમેન્ટે રવિવારે ટ્વિટ કરીને ટેક્સ પેયર્સને સતર્ક કર્યા છે અને કહ્યું છે કે તેઓ એવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરે જેમાં રિફંડનો વાયદો કરવામાં આવ્યો હોય. આ સંદેશ ઈનકમ ટેક્સ વિભાગની તરફથી મોકલવામાં આવ્યો નથી.
ટેક્સપેયર્સને થઈ શકે છે મોટું નુકસાન
રિફંડનો વાયદો કરતી કોઈ લિંક પર ક્લિક ન કરો
ઈનકમ ટેક્સ વિભાગે કરી છે આ સ્પષ્ટતા
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સપેયર્સને રિફંજનો વાયદો કરનારા ફિશિંગ ઈમેલથી ચેતવ્યા છે. IT ડિપાર્ટમેન્ટે રવિવારે ટ્વિટ કરીને ટેક્સપેયર્સને સતર્ક કર્યા છે અને કહ્યું છે કે એવી કોઈ લિંક પર ક્લિક ન કરો જેમાં રિફંડનો વાયદો કરવામાં આવ્યો હોય. આ સંદેશ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી મોકલવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે 8-20 એપ્રિલના સમયે અનેક કરદાતાઓને 9000 કરોડ રૂપિયાથી વધારે 14 લાખનું રિફંડ જાહેર કર્યું છે. તેમાં વ્યક્તિગત, હિંદુ અવિભાજિત પરિવાર, પ્રોપ્રાઈટર, ફર્મ, કોર્પોરેટ, સ્ટાર્ટઅપ્સ અને નાના અને મધ્યમ શ્રેણીના ટેક્સ પેયર્સ સામેલ છે.
ટેક્સ પેયર્સને મોકલવામાં આવ્યો છે ઈમેલ
કોરોના સંકટને જોતાં સરકારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આદેશ જાહેર કરતાં કહ્યું કે ટેક્સ પેયર્સ જલ્દી રિટર્ન ભરે. આ પછી IT વિભાગની તરફથી ટેક્સ પેયર્સને ઈમેલ મોકલવામાં આવી રહ્યો છે. સાથે જ હાલ સુધી 1.74 લાખ કેસમાં કન્ફર્મેશન મોકલવામાં આવ્યા છે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વીટમાં કહ્યું છે કે ટેક્સપેયર્સ સાવધાન, કૃપા કરીને કોઈ ફેક લિંક પર ક્લિક ન કરો જે રિફંડ આપવાનો વાયદો કરે છે. આ સંદેશ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી મોકલાયો નથી. https://incometaxindia.gov.in/Pages/report-phishing.aspx. તેમાં લખ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઈમેલની મદદથી વિસ્તૃત જાણકારીનો અનુરોધ કરતો નથી. આઈટી ડિપાર્ટમેન્ટ પિન નંબર, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક કે અન્ય નાણાંકીય ખાતાની જાણકારીનો અનુરોધ કરીને ઈમેલ મોકલતા નથી.