દેશની 351 નદીઓ પ્રદૂષિત હોવાનો આજે રિપોર્ટ લોકસભામાં રજૂ થયો છે. ત્યારે વડોદરાની વિશ્વામિત્રી મળી પણ દુષિત હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ત્યારે ચાલો આપને વિશ્વામિત્રીની રિયાલિટી ચેક કરીશું.
ગુજરાતની નદીઓ પ્રદૂષિત
સાબરતી, વિશ્વામિત્રી તાપી અને નર્મદા પ્રદૂષિત
નદીમાં ઠલવાઈ રહ્યું છે કેમિકલ યુક્ત પાણી
કરોડોના ખર્ચ બાદ પણ ન થયું શુદ્ધીકરણ
ગુજરાતમાં નર્મદા, સાબરમતી સહિતની 20 નદીઓ પ્રદૂષિત છે. જેમાં અમલાખાડી, ભાદર, ભોગાવો, વિશ્વામિત્રી, દમણગંગા, તાપી અને મેશ્વો નદી સામેલ છે. આ નદીઓ ઔદ્યોગિક એકમોના ગંદા પાણીને લઇ પ્રદૂષિત થઇ છે. જેથી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રદૂષિત નદીના ડેટા એકત્ર કર્યા છે. સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે છેલ્લા 4 વર્ષમાં 282.17 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે વર્ષ 2014-15માં 44 કરોડ, 2015-16માં 24.12 કરોડ, 2016-17માં 71.40 કરોડ અને 2017-18માં 62 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આમ છતાં નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણીને લઇ નદીનું શુદ્ધીકરણ થઇ શક્યું નથી.
વિશ્વામિત્રી નદીનું રિયાલિટી ચેક
લોકસભામાં આજે રજૂ થયેલા રિપોર્ટમાં દેશની 351 નદીઓ પૈકી ગુજરાતની 20 નદીઓ પણ પ્રદૂષિત હોવાનું બહાર આવ્યું છે. જેમાં વડોદરાની વિશ્વામિત્રી મળી પણ દુષિત હોવાનું જણાવવા આવ્યું છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની મુજ મહુડા પાસે મુલાકાત લીધી તો અહીં વિશ્વામિત્રી નદીના પ્રવાહના રીતસરના બે ભાગ જોવા મળ્યા અહીં કોર્પોરેશન દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીના કારણે વિશ્વામિત્રીના પ્રવાહના બે ભાગ જોવા મળ્યા કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો કોર્પોરેશનના અધિકારીઓ કે જીપીસીબીના અધિકારીઓને જાણે કે દેખાતા નથી.
ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી મળી પણ પ્રદૂષિત હોવાનું ગૃહમાં સાબિત થયું છે જોકે આ પૂર્વજ વડોદરાના પ્રયાવરણ વિદો એંજીતી અને સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા અને એંજિતીનો આદેશ હોવા છતાં કોર્પોરેશનના મેયર કે કમિશનરે કોઈક પગલાં લીધા નથી અને તેના કારણે આજે પણ વિશ્વામિત્રી નદી પ્રદૂષિત છે.
નદીઓનું શુદ્ધિકરણ ક્યારે ?
નદીઓમાં પ્રદૂષણ ઠાવલતા એકમો સામે કરાશે કાર્યવાહી?
નદીઓના શુદ્ધિકરણ માટે આવતા ફંડનો ઉપયોગ ક્યાં થયો?
શુદ્ધિકરણ ફંડના રૂપિયાથી કેટલી નદીઓ શુદ્ધ કરી?
નદીઓના શુદ્ધિકરણની કામગીરી માત્ર કાગળ પર?
નદી શુદ્ધિકરણની કામગીરી ગ્રાઉન્ડ પર કેમ નથી દેખાતી?