કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 589 થઈ, અમદાવાદમાં સૌથી વધુ 33 નવા કેસ નોંધાયા઼, ચૂંટણી બાદ કેસો વધશે તેવી ભીતિ
કોરાનાના વધુ 87 કેસ નોંધાયા
આજે કોરોનાને માત આપીને 73 દર્દી ડિસ્ચાર્જ
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 589 થઈ
એક તરફ ઋતુજન્ય રોગચાળો ભરડો લઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બીજી લહેર શાંત પડ્યા બાદ સૌથી વધુ કોરાનાના વધુ 87 કેસ નોંધાયા છે જે છેલ્લા 5 મહિનાની સરખામણીએ મોટો વધારો છે. એક સાથે અચાનક 87 કેસ પોઝિટિવ આવતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 589 સુધી પહોંચી ગઈ છે. કોરોનાને માત આપીને 73 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ હેમખેમ ઘેર પરત ફર્યા છે તો જ્યમાં વધુ 2 દર્દીઓનું કોરોનાને કારણે મૃત્યુ થયુ છે. 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.
રાજકોટ અને વલસાડમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે જો જિલ્લા વાઈઝ કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 33 નવા કેસ નોંધાયા઼ છે છેલ્લા 173 દિવસ બાદ સૌથી વધુ છે. સુરતમાં 12 કેસ, વડોદરામાં 11 કેસ, રાજકોટમાં 7 કેસ, ખેડામાં 5 કેસ, વલસાડમાં 5 કેસ, નવસારીમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, ગાંધીનગરમાં 2 કેસ, કચ્છમાં 2 કેસ,ભરૂચ, જામનગર અને મહેસાણામાં કોરોનાનો એક-એક કેસ સામે આવ્યો છે. ગ્રામ પંચાયતની ચુંટણી બાદ આ કેસો વધશે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.
જો રાજ્યભરમાં અત્યાર સુધીના કોરોનાના આકડા પર નજર કરીએ તો અત્યાર સુધી 8,18,010 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, તો 10,104 દર્દીને કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા છે જે અન્ય રાજ્યો કરતાં ઘણો સારો છે જેનું એક માત્ર કારણ વેકસીનેશન છે. જો રસીની વાત કરીએ તો આજે 2.16 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે.અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.75 કરોડથી વધુ ડોઝ આપી દેવાયા છે. ઓમીક્રૉનનો ખતરો માથા પર મંડારાઈ રહ્યો છે ત્યારે બુસ્ટર ડોઝની કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.