બનાસકાંઠામાં વધુ એક કેનાલ તૂટવાની ઘટના બની છે. અત્યાર સુધી એક પણ મહિનો એવો નહીં હોય કે કેનાલમાં ગાબડું નહી પડયું હોય. છેલ્લા ત્રણ વર્ષથી આ કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થાય છે.
ખાસ કરીને થરાદ સુઈગામ અને વાવ તાલુકાના ખેડૂતો તોબા પોકારી ગયા છે. આ મામલે અનેક વાર તંત્રને રજુઆત કરાઈ હતી. તેમ છતાં કોઈ નિવારણ આવ્યું નથી. લોકો આ કેનાલમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
ત્યારે હવે લોકોની માગ છે કે કેનાલનું સરખું સમારકામ કરાય અને તેમનો પાક બચાવવામાં આવે પરંતું તંત્ર આ મામલે કંઈ વિચારતું નથી. વારંવાર કેનાલમાં ગાબડા પડવાને કારણે ખેડૂતોને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે. ખેડૂતોનો ઉભો પાક ધોવાઇ જવાના કારણે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે.