આવતીકાલી સવારના 11 વાગ્યે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે જેમાં શિવસેનાના બાગી ધારાસભ્યો હાજર રહેશે. જો ઉદ્ધવ સરકાર બહુમતી સાબિત ન કરી શકે તો રાજીનામું આપશે. સુપ્રીમના આદેશાનુસાર સાંજના 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની કાર્યવાહી પૂરી કરી લેવાની રહેશે.
ભાજપે સરકાર રચવાની કવાયત આદરી
સુપ્રીમના ચુકાદા બાદ ભાજપે પણ સરકાર રચવાની કવાયત આદરી છે. ફ્લોર ટેસ્ટના ચુકાદા બાદ દેવેન્દ્ર ફડણવીસ નેતાઓને મળવા રવાના થયા હતા.
Supreme Court gives go ahead to the floor test in the Maharashtra Assembly tomorrow; says we are not staying tomorrow's floor test. pic.twitter.com/neYAIftfWe
સુપ્રીમ કોર્ટમાં આજે ફ્લોર ટેસ્ટના મુદ્દે લાંબી સુનાવણી ચાલી હતી. શિવસેનાના વકીલ, એકનાથ શિદેના વકીલ અને મહારાષ્ટ્રના રાજ્યપાલના વકીલ વચ્ચે દલીલબાજી ચાલી હતી જેને અંતે સુપ્રીમે રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
Supreme Court allows jailed NCP leaders Nawab Malik and Anil Deshmukh to participate in the proceedings of the floor test in the Maharashtra Assembly tomorrow.
જેલમાં બંધ નવાબ મલિક અને અનિલ દેશમુખ ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ એનસીપી નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. તેઓ બન્ને આવતીકાલે વિધાનસભામાં હાજર રહીને ફ્લોર ટેસ્ટમાં સામેલ થશે.
રાજ્યપાલે ઉતાવળમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો
શિવસેનાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે રાજ્યપાલે ઉતાવળમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે એવા સમયે કે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની સુનાવણી 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. જો આ ધારાસભ્યોને 11 જુલાઈએ ગેરલાયક ઠેરવવામાં આવે તો શું થશે? "જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી કરી રહી છે, તો પછી ફ્લોર ટેસ્ટ શા માટે? ગેરલાયકાતનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સિંઘવીએ કહ્યું, રાજ્યપાલ શોર્ટ સર્કિટ કરી રહ્યા છે. ન તો સુપ્રીમ કોર્ટ ચુકાદાની રાહ જોઈ રહી છે કે ન તો સ્પીકરના નિર્ણયની રાહ જોઈ છે.
ફ્લોર ટેસ્ટનો આદેશ ઘોડા સામે ગાડી મૂકવા જેવો-સિંઘવી
સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આટલા ઓછા સમયમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો રાજ્યપાલનો આદેશ ખોટી રીતે કે ખોટા ક્રમમાં કરવા જેવું છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, શિવસેનાના 34 ધારાસભ્યના પત્રની ચકાસણી કરવામાં આવી નથી. એ પત્રની સચ્ચાઈ જાણી શકાઈ નથી. શું કોઈએ તેમને આ પ્રકારનો પત્ર લખવા માટે દબાણ કર્યું હતું, જેના માટે રાજ્યપાલે ચકાસણી કરી ન હતી? એક અઠવાડિયા પછી, તેણે કહ્યું કે પત્ર આવી ગયો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંતુ અમે રાજ્યપાલના વિવેક પર કેવી રીતે સવાલ ઉઠાવી શકીએ.
રાજ્યપાલે મુ્ખ્યમંત્રીની સલાહ પ્રમાણે કામ કરવું જોઈએ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, રાજ્યપાલે મુખ્યમંત્રીની સલાહ પર કામ કરવું જોઈએ. પરંતુ તેઓ વિપક્ષના નેતાની સલાહ પર કામ કરી રહ્યા છે. વિપક્ષના નેતા સાંજે તેમને મળે છે અને બીજા દિવસે પત્ર આવે છે કે એક દિવસમાં ફ્લોર ટેસ્ટ છે. રાજ્યપાલે પોતાના પત્રમાં અમને લખ્યું છે કે 7 અપક્ષ ધારાસભ્યો અને વિપક્ષે રાજ્યપાલને પત્ર આપ્યો છે. આ સાથે જ શિવસેનાના 34 ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને પાર્ટી પર અસંતોષ વ્યક્ત કર્યો છે.
ફ્લોર ટેસ્ટ ન રોકી શકાય- શિંદે છાવણીની સુપ્રીમમાં રજૂઆત
શિવસેનાના વકીલ અભિષેક મનુ સિઁઘવીની દલીલ બાદ એકનાથ શિંદે જૂથના વકીલ એનકે કૌલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કૌલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળી શિવસેના સરકાર નિરાશ લઘુમતીમાં છે. તેમણે કહ્યું કે ડાન્સ ઓફ ડેમોક્રસી (લોકશાહીનો નાચ) ગૃહમાં જ થાય છે અને આવું કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શિંદેના વકીલે કહ્યું કે સ્પીકર સામે ગેરલાયકાતની દરખાસ્ત પેન્ડીંગ હોય તેટલે કંઈ ફ્લોર ટેસ્ટ ન રોકી શકાય.
Maha crisis:Pendency of disqualification proceedings before speaker is no ground to delay floor test:Sr Adv NK Kaul for Eknath Shinde faction
અભિષેક સિંઘવીની તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમની ખંડપીઠે પોતાના આદેશમાં એવું જણાવ્યું કે અમારુ માનવું એવું છે કે લોકશાહી સંબંધિત મુદ્દાઓ જ્યારે ઊભા થાયા ત્યારે તેનો એકમાત્ર ઉકેલ ગૃહમાં શક્તિ પરીક્ષણ કરવાનો છે.