ગાંધીનગરમાં હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ-1 કક્ષાના અધિકારીઓ વચ્ચેની લડાઈ આવી સામે, બે અધિકારીઓ વચ્ચેની આંતરિક લડાઈ મુખ્યમંત્રી સુધી પહોંચી
ગાંધીનગરમાં વર્ગ 1ના અધિકારીઓ વચ્ચે બબાલ
હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ-1 કક્ષાના અધિકારીઓ આમને-સામને
બે અધિકારીઓ વચ્ચેની આંતરિક લડાઈ મુખ્યમંત્રી સુધી પહોંચી
ગાંધીનગરમાં વર્ગ-1ના અધિકારીઓ વચ્ચે બબાલ સામે આવી છે. હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ-1ના અધિકારીઓ આમને સામને આવી ગયા છે. આ બન્ને અધિકારીઓ વચ્ચેની આંતરિક લડાઇ મુખ્યમંત્રી સુધી પહોંચી છે. નિવૃત ડેપ્યુટી ડાયરેક્ટર ઉમેશ ઓઝાએ પુરાવા સાથે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. જેના પર CMએ હિસાબી અને તિજોરી અધિકારી ચારૂ ભટ્ટ સામે પગલાં લેવા આદેશ કર્યો હતો. પરંતુ મુખ્યમંત્રીના આદેશ છતાં આક્ષેપિત અધિકારી સામે પગલા લેવામાં આવ્યા નથી.
નિયામક ચારૂ ભટ્ટે ડેપ્યુટી ડાયરેક્ટરને ખોટા કેસમાં ફસાવ્યા હોવાની ફરિયાદ કરાઇ છે. દારૂના ખોટા કેસમાં ફસાવાયા હોવાથી મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. અને નિયામક કચેરીમાં દારૂની બોટલ રાખી હોવાનો વીડિયો વાયરલ કર્યો છે. તેમજ નિયામક દ્વારા સરકારની મંજૂરી વગર 7 વખત વિદેશ પ્રવાસ કર્યાનો આક્ષેપ કર્યો છે. અને CM રૂપાણીને કરેલી ફરિયાદમાં મંજૂરી વગર પ્રવાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને નિયામક સામે કાયદેસરના પગલા ભરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે. જોકે આ મામલે અધિકારી ચારૂ ભટ્ટે મીડિયા સમક્ષ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે.
ગાંધીનગરમાં વધુ એક વિવાદ
સરકારી કચેરીઓમાં અધિકારીને એક્સટેન્શનથી ગણગણાટ શરૂ થયો છે. આ મુજબ જોઇએ તો, સિંચાઈ સચિવ એમ.કે.જાદવને છઠ્ઠી વખત એક્સટેન્શન અપાયું છે. તેમને 58 વર્ષે નિવૃત્તિ મળી હતી. 62 વર્ષ સુધી મહત્તમ સેવા લેવાના પરિપત્રને કોરાણે મુકવામાં આવ્યો છે. ભૂતકાળમાં તેમની સામે કોઈ તપાસ ન ચાલતી હોય, તો જ એક્સટેન્શન આપવાનો નિયમ છે. 64 વર્ષ થઈ ગયા છતાં સરકાર એન્જિનિયર અધિકારીને સેવાનિવૃત્ત કરતા નથી.
સરદાર સરોવર નિગમના ડિરેક્ટર સી.બી.નાદપરાને પણ છઠ્ઠીવાર એક્સટેન્શન મળ્યું છે. તો જળસંપત્તિ વિભાગમાં ખાસ સચિવ તરીકે મુકેશ રાવલને પણ બીજીવાર એક્સટેન્શન મળ્યું છે. ભૂતકાળમાં ભ્રષ્ટાચારની તપાસ ચાલતી હતી. તેવા અધિકારીને એક્સટેન્શનથી સચિવાલયમાં ગણગણાટ શરૂ થયો છે. એકતરફ નવા યુવા એન્જિનિયરો ટેકનોલોજીથી સાથે સજ્જ છે ત્યારે નિવૃત્તોને એક્સટેન્શનથી ચર્ચા જાગી છે.