અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાની સુનાવણી બાદ જ્યારે આરોપીને સિટી સિવિલ કોર્ટ પરિસર બહાર લઈ જવાતો હતો ત્યારે કેટલાક લોકોએ રોષમાં આવીને માર માર્યો હતો
અમદાવાદમાં કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાનો મામલે આરોપી પર કોર્ટ બહાર લઈ જવાતા સમયે હુમલો કરાયો હતો. ચંદ્રકાંત મકવાણાની હત્યા મામલે કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખાયો છે. સુનાવણી બાદ જ્યારે આરોપીને સિટી સિવિલ કોર્ટ પરિસર બહાર લઈ જવાતો હતો ત્યારે કેટલાક લોકોએ રોષમાં આવીને માર માર્યો હતો. લોકોએ આરોપી મનીષ બલઇને કોર્ટમાં જ માર માર્યો હતો. જો કે, પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને જાણી તુરંત વાનમાં બેસાડી દીધો હતો. અગાઉ રિમાન્ડ સમયે પણ આરોપીને માર માર્યો હતો. કોર્ટમાં આજની સુનાવણી બાદ 22 જુલાઈએ ચુકાદો આવી શકે છે.
અમદાવાદના ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલની હત્યાના મામલે આજે સિટી સિવિલ સેશન્સ કોર્ટેમાં અંતિમ સુનાવણી થશે. આજે સિટી સિવિલ કોર્ટ ચુકાદો આપી શકે છે. 2016માં કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચ કચેરીમાં જ કોન્સ્ટેબલની હત્યા કરાઇ હતી. આરોપી મનીષ બલાઇએ હત્યા કરી હતી. આ મામલે 15થી વધુ દસ્તાવેજી પુરાવા-10થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી. કોન્સ્ટેબલનું પીએમ ડોક્ટર પેનલ-વીડિયોગ્રાફી હેઠળ કરાયું હતું. કોર્ટે બંન્ને ડોક્ટરોના નિવેદનો પણ નોંધ્યા છે. તો પરિવારે કોર્ટમાં CBI તપાસની પણ માંગ કરી હતી.