ઘરના ઘરનું સ્વપ્ન જોનારા લોકો માટે મહત્વની જાહેરાત. પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો બનાવવામાં આવશે
ઘરના ઘરનું સ્વપ્ન થશે સાકાર
પીએમ આવાસ યોજના હેઠળ બનાવાશે નવા ઘર
ગામ-શહેરોમાં 80 લાખ ઘર બનાવવામાં આવશે
ઘરના ઘરનું સ્વપ્ન જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. વર્ષ 2022-23ના બજેટમાં નિર્મલા સીતારમણે પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનાવવાની જાહેરાત કરી છે. આગામી નાણાંકીય વર્ષમાં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે. જે માટે 48 હજાર કરોડનું ફંડ રાખવામાં આવ્યુ છે. ગામડાઓ અને શહેરોમાં 80 લાખ નવા મકાનો બનાવવામાં આવશે.કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે આ યોજના હાથ ધરશે.
નલ સે જલ યોજનાનો મળશે લાભ
નિર્મલા સીતારમણે જણાવ્યુ છે કે નલ સે જલ યોજના હેઠળ 60 હજાર કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા. 3 કરોડ 8 લાખ લોકોને નળથી પાણીની યોજનાનો લાભ મળ્યો.હર ઘર નલ સે જલનું કવરેજ 8.7 કરોડ છે, જેમાંથી 5.5 કરોડ પરિવારોને છેલ્લા 2 વર્ષમાં માત્ર નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે
આધુનિક આંગણવાડી બનશે
નાણાંમંત્રીએ આંગણવાડીના નવીનીકરણ અને આધુનિક બનાવવા માટેની પણ જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે 2 લાખ આધુનિક આંગણવાડીઓ બનાવવામાં આવશે
ડિઝીટલ યુનિવર્સિટી બનશે
શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને શાળાઓમાં દરેક વર્ગમાં ટીવી લગાવવામાં આવશે. સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા યુવા શક્તિ બનાવવા માટે અને સરકારી યોજનાઓ હેઠળ કુશળ કામદારો બનાવવા માટે કામ કરવામાં આવશે. લોકો માટે આજીવિકાના સાધનો વધારવા માટે સરકારી પ્રોજેક્ટ્સની સંખ્યા વધારવામાં આવશે.નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. તેણીએ કહ્યું કે એક વર્ગ એક ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. . સાથે જ માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.
'One class, one TV channel' program of PM eVIDYA will be expanded from 12 to 200 TV channels. This will enable all states to provide supplementary education in regional languages for classes 1 to 12: FM Nirmala Sitharaman#Budget2022pic.twitter.com/47CbJoExkI
25 હજાર કિલોમીટરના નેશનલ હાઈવેના વિકાસ માટે 20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દેશની 5 મોટી નદીઓને જોડવા માટે જળ સંસાધન વિકાસ મંત્રાલયની મદદથી પણ કામ કરવામાં આવશે. દેશમાં સિંચાઈ અને પીવાના પાણીની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે અને ગંગા કિનારે રહેતા ખેડૂતોને મદદ કરવામાં આવશે.