પૂર્વ સીએમ રૂપાણીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લડવા અંગે જુઓ શું કહ્યું, અંબાજીમાં સપરિવાર સાથે દર્શન કરવા પહોંચેલા વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન
ચૂંટણી લડવાને પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટું નિવેદન
અમારે ત્યા વ્યક્તિ નિર્ણય નથી કરતો પાર્ટી નિર્ણય કરે છેઃ રૂપાણી
પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશઃ રૂપાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરેલી રહેશે કારણ કે AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં રસાકસી ભર્યો ત્રિપાખીયો જંગ ખેલોશે. એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત AAP પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. જો કે હજુ ભાજપમાં ચૂંટણી લડવા અંગે કોણ કોણ મેદાને ઉતરશે તે વિશે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. ત્યારે શું ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી આ વખતે ચૂંટણી લડશે ખરા ? આવો જાણીએ.
પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશુંઃ રૂપાણી
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી આ વખતે વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ તે અંગે તેઓએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરે છે. પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશ. હું ભાજપનો કાર્યકર છું પાર્ટીની જીત થાય તે માટે કામ કરીશું. પાર્ટી લડાવશે તો ચૂંટણી લડીશું. નહિ લડાવે તો નહી લડીએ.
સીએમ રૂપાણીએ અંબાજીમાં કર્યા દર્શન
મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી આજે અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. સપરિવાર સાથે તેઓ મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં માતાજીની પૂજા અર્ચના કરીને મા અંબાના ચરણોમાં શિષ ઝુકાવ્યું. વિજય રૂપાણી ગુજરાતની જનતાની સુખકારી જીવન માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેઓને આગામી ચૂંટણી લડવા પર સવાલ કરતા તેમણે જણાવ્યુ હતું તે જો પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશું.