રેલવેમાં મુસાફરી કરનાર લોકોએ આ સમાચાર વાંચી લેવા જરૂરી છે.કારણકે આ ભારતીય રેલવે દ્વારા એક સુવિધા બંધ કરવામાં આવી છે.રેલવે મંત્રાલય દ્વારા કેટલાક ખર્ચને ઓછા કરવા માંટે આ નિર્ણય લીધો હોવાનું એક ઉચ્ચ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ચાલુ માસની શરૂઆતથી એટલે કે 1 માર્ચથી રેલવેના કોચ પર રિઝર્વેશન ચાર્ટ લગાવવામાં નહીં આવે.જો કે આ યોજના માત્ર 6 માસ માટે અમલમાં મુકવામાં આવી છે.
જો કે રેલવેમાં મુસાફરી કરતા લોકોનો સારો પ્રતિભાવ મળશે તો આ યોજના આગામી સમય માટે પણ અમલી બનાવવામાં આવશે.રેલવે કોચ પર ચાર્ટ નહીં લાગવાને કારણે હવે સ્ટેશન પર લગાડવામાં આવેલ ડિસ્પ્લેમાં જ યાત્રિકોએ પોતાનો સીટ નંબર જોઇ લેવો પડશે.
આ આદેશ રેલવેના ઉચ્ચ અધિકારી શ્રીવાસ્તવ દ્વારા લેવામાં આવ્યો છે.જેમાં માર્ચ 2018થી દરેક A-1 A-B શ્રેણીના સ્ટેશનો પરથી ચાલનારી દરેક ટ્રેનના કોચ પર રિઝર્વેશન ચાર્ટ લગાવવામાં આવશે નહીં
આપને જણાવી દઇએ કે હેરિટેજ દહેરાદૂન સ્ટેશન પણ A-1 શ્રેણીમાં આવે છે.જો કે આ તમામ સ્ટેશનો પર લગાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટેડ ડિસ્પ્લે બોર્ડમાં ચાર્ટ લગાવવામાં આવશે.