લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા માટે લોકોએ દર્શાવેલી કંજુસાઈની માનસિકતા દૂર કરવા માટે ગો ટુ ધી પીપલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના કર્યો હાથ ધરવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી એ નક્કી કર્યું છે. ઉપરાંત પક્ષમાં જ રહીને કોંગ્રેસની ઘોર ખોદનારા લોકો સામે ત્વરિત અને કડક પગલાં લેવાનો ઠરાવ કારોબારી એ પસાર કર્યો છે.