PM નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ રેશનિંગ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રેશનિંગ કાર્ડ ધારકોને 1 કિલો ચણાનો પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે. જૂલાઇ માસમાં ટેન્ડરિંગ પ્રક્રિયા ન થતા પુરવઠો ન અપાતા હવે ઓગસ્ટ માસના પુરવઠામાં જુલાઈ અને ઓગસ્ટ માસનો ચણાનો પુરવઠો એક સાથે આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારે નિર્ણય પ્રમાણે NFSA-બીપીએલ અને નોન બીપીએલ કાર્ડધારકોને પણ પુરવઠોનો લાભ લઈ શકે છે.