ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યુ હતું કે જીવતા પશુઓની નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ લગાવ્યો છે. એનિમલ વેલ્ફેર બોર્ડમાં જાણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે. ગુજરાત અહિંસક રાજ્ય છે. કસ્ટમ વિભાગને પણ નિકાસ અટકાવવાની જાણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઘાસના અભાવે પશુઓના મૃત્યુ ન થાય તેની સંભાળ રાજ્ય સરકાર લેશે તેવી જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જીવો અને જીવવા દો એ જૈન ધર્મની ભાવના સમગ્ર રાજ્યમાં ચરિતાર્થ કરાશે. ગુજરાત અહિંસક રાજ્ય છે. તેથી પશુઓની સંભાળ લેવામાં આવશે.
રાજ્યમાંથી આરબ દેશોમાં અબોલ પશુઓની નિકાસ કરાતા હોવાથી ઠેર ઠેર વિરોધ નોંધાયો હતો. જેથી રૂપાણી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે રાજ્યમાંથી જીવતા પશુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવાયો છે.