દક્ષિણ કિનારે સમય પહેલા ટકોરા મારનારું ચોમાસુ હાલમાં નબળું પડયુ છે. જગતનો તાત ચાતક નજરે આકાશભણી તાકી રહ્યો છે. કેમકે જગતના તાતે જગન્નાથ પર વિશ્વાસ મૂકીને મોંધેરું બિયારણ ધરતીમાં રોપી દીધું છે.મોડામોડા તોય મેહુલા વરસે ભલામાં માનનારો ખેડૂતને પોતાના કાંડના બળ કરતાંય વરસાદ પર વધારે શ્રદ્ધા છે.
ઉલ્લેખનીય છે ભારતના દક્ષિણ કિનારે સમયથી પહેલા ટકોરા મારનારા ચોમાસુ હજુ ઉત્તરભારતમાં રાહત આપે તેવા કોઈ અણસારા દેખાતા નથી. ઉત્તર ભારતીયોએ હજુ થોડી વધારે રાહ જોવી પડશે. મોસમ વિભાગ તરફથી સાંપડતી તાજી માહિતી મુજબ દેશમાં વરસાદ વરસાવતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે.
ચોમાસાની ઝડપમાં નોંધ. નોંધાયેલો ઘટાડાના કારણે હવે ઉત્તરભારતમા ગરમીમાં રાહત મેળવવામાટે રાહ જોવી પડશે. જોકે હવામાન વિભાગે દાવો કર્યો છે કે આગામી 5-6 દિવસમાં ચોમાસાની ગતિમાં વધારો થશે. જેની અસર રૂપે દેશના દક્ષિણ હિસ્સામાં ધોધમાર વરસાદ તો હિમાચલ હરિયાણા અને ચંદીગઢ અને દિલ્લીના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે.
આપને જણાવી દઇએ કે હવામાન વિભાગની માહિતી મુજબ 28 મેથી લઈ 15 જૂન સુધી ચોમાસાની ગતિ ઝડપી રહી પરંતુ 15 જૂન પછી ચોમાસાની ગતિ મંદ થઈ ગઈ. હવામાન વિભાગની અટકળ મુજબ ઓરિસ્સા અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં 23 કે 24 જૂન બાદ સારો વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક સહિત દક્ષિણી વિસ્તારોમાં 26 જૂન બાદ સારો વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 70 ટકા વરસાદ માટે જવાબદાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આ વખતે રાહ જોવરાવી નથી. આ વખતે કેરલ કાંઠે સમય પહેલા 3 દિવસ વરસાદે વહેલા દસ્તક દીધી હતી.
કૃષિક્ષેત્રના જાણકારોનું માનવું છે કે વર્તમાન સ્થિતિમાં ચોમાસું નબળુ પડવાના કારણે ઘણા રાજ્યોમાં ચોમાસાની વાવણી પર અસર પડશે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ચોમાસાની ગતિ ધીમી થતાં ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી તો બીજી તરફ આ રાજયોમાં ચોમાસાની વાવણી પર અસર પડી શકે છે. મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં ચોમાસાની વાવણી મોડી શરૂ થશે કેમકે આ રાજયોની કૃષિ ચોમાસા પર વધારે નિર્ભર છે.
જો કે તેમ છતાં હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસાની ગતિમાં વધારો થતાં તે ચોમાસુ પાક માટે વરદાનરૂપ સાબિત થશે અને તે સાથે જ દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર દેશનું 2.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ટકેલું છે.