ટીવી ડિબેટમાં IMAના મહાસચિવ ડોક્ટર જયેશ લેલે અને બાબા રામદેવ વચ્ચે એટલી ઉગ્ર ચર્ચા થઈ કે વચ્ચમાં ડોક્ટર લેલેએ બાબા રામદેવને શટ અપ પણ કહી દીધું.
IMA મહાસચિવ ડોક્ટર જયેશ લેલે અને બાબા રામદેવ વચ્ચે ઉગ્ર ચર્ચા
ટીવી ડિબેટમાં બન્ને વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી
બાબા રામદેવે એલોપેથી પર મનઘડંત નિવેદન આપ્યું-ડોક્ટર લેલેનો આરોપ
ટીવી ડિબેટમાં ઉગ્ર બોલાચાલી થઈ કોઈ નવી વાત નથી પરંતુ આ વખતે સામસામે હતા બાબા રામદેવ અને એક એલોપેથિક ડોક્ટર. ચર્ચાનો વિષય હતો. બાબા રામદેવનું એ નિવેદન જેમાં તેમણે એલોપેથી ઉપચાર પદ્ધતિ પર સવાલ ઊભા કર્યાં હતા.
બાબા રામદેવને કહ્યું ચુપ... ચુપ... ચુપ
ડિબેટ દરમિયાન ચર્ચા એટલી ઉગ્ર થઈ કે વચ્ચેમાં ડોક્ટર લેલેએ બાબા રામદેવને તમે ચુપ રહો... ચુપ... ચુપ. યુ કીપ ક્વાઈટ, યુ કીપ ક્વાઈટ પણ કહી નાખ્યું. ડોક્ટરેએ લેલે બાબા રામદેવ પર એલોપેથીની માહિતી વગર મનઘડંત નિવેદન આપવાનો પણ આરોપ લગાવ્યો.
બાબા રામદેવના 25 સવાલનો દસ્તાવેજો સાથે જવાબ આપીશું
ટીવી ડિબેટ બાદ ડોક્ટર અને આઈએમએ મહાસચિવ જયેશ લેલેએ બાબા રામદેવ પર હુમલો કરતા જણાવ્યું કે તેઓ બાબા રામદેવના 25 સવાલનો દસ્તાવેજો સાથે જવાબ આપશે. તેમણે કહ્યું કે અમારી ટીમ આ મુદ્દે કામ કરી રહી છે. અમે બાબા રામદેવની સામે કાયદાકીય કાર્યવાહી કરીશું. તેને માટે કાયદાકીય સલાહ લેવાઈ રહી છે.
Hello @yogrishiramdev
Hope you are fine now, after the interview, I mean.
રામદેવ પર એફઆઈઆર કરાવવાની તૈયારી
ડોક્ટર લેલેએ જણાવ્યું કે અમારી ટીમ રામદેવના સવાલના જવાબો તૈયાર કરી રહી છે. અમે તેમના બધા સવાલોનો જવાબ આપીશું. આઈએમએના ડોક્ટર અમને ફોન કરીને પૂછી રહ્યાં છે કે રામદેવ કેવા પ્રકારની હાસ્યાસ્પદ વાતો કરી રહ્યાં છે. બાબા રામદેવની સામે એફઆઈઆર દાખલ કરાવવામાં આવશે.
કોરોનિલ પર સવાલ ઉઠાવ્યાં
ડોક્ટર લેલેએ જણાવ્યું કે ડોક્ટર એટલા બધા વ્યસ્ત છે. 747 ડોક્ટરોના ગયા વર્ષે મોત થયા છે. તેમણે વેક્સિન લીધી જ નહોતી. બીજી લહેરમાં 500 ડોક્ટરોના મોત થયા છે. રામદેવ જે દાવો કરી રહ્યાં છે તે ખોટો છે. તેમણે રામદેવના દાવા પર કહ્યું કે પતંજલિની કોરોનિલ ખાઈને લોકો સાજા થઈ ગયા છે તે વાત બાબા રામદેવ શા માટે ઈન્ટરનેશનલ જર્નલમાં છપાવીને જાહેર કરાવી રહ્યાં નથી.